SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૩૨ વળી નિયમફળસાધક નિશ્ચયનયથી મોક્ષને અનુકૂળ એવી રત્નત્રયીની પરિણતિ એ યોગ છે; કેમ કે રત્નત્રયીની પરિણતિ નિયમા ઉત્કર્ષને પામીને મોક્ષનું કારણ છે; અને તે રત્નત્રયીની પરિણતિને પ્રગટ કરવા માટે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આચરણાઓ કરાય છે, તે વ્યવહારનયથી યોગ છે; કેમ કે એ બાહ્ય આચરણાઓ નિયમફળસાધક એવી રત્નત્રયીની પરિણતિની પ્રાપ્તિનું કારણ છે, તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગની આચરણાને વ્યવહારનય યોગ કહે છે. આ રીતે નિશ્ચયનયથી અને વ્યવહારનયથી મોક્ષને અનુકૂળ અંતરંગ સર્વ પરિણતિ અને અંતરંગ પરિણતિના કારણભૂત એવી બહિરંગ સર્વ આચરણાઓ યોગ શબ્દથી ગ્રહણ થાય છે. તો વળી અહીં પૂ. મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજાએ ભિન્ન પ્રકારનો નિશ્ચયનય ગ્રહણ કરીને કહ્યું કે વિમા તમ્ =જે કરાતું હોય તે કરાયું છે, એ પ્રકારે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળને એક સમયમાં માનનાર નિશ્ચયનયને સ્વીકારીને યોગના પ્રારંભકાળમાં યોગ છે, તેમ કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે એકાગ્રતાપૂર્વક કે ચિત્તના નિરોધપૂર્વક સમભાવમાં જે ઉદ્યમ થાય છે, તે ઉદ્યમ પરમાર્થથી વીતરાગતાનું કારણ છે, અને તેના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી તે યોગ છે. તે રીતે અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તથી પણ સમભાવમાં ઉદ્યમ થાય છે અને તે ઉદ્યમ પણ પરંપરાએ વીતરાગતાનું કારણ છે માટે યોગ છે, આ યોગ પણ નિયમફળસાધક યોગરૂપ છે. ફક્ત એકાગ્રતાને નિરુદ્ધ ચિત્તમાં જે પ્રકારનો શુદ્ધ આત્મામાં જવા માટેનો ઉદ્યમ છે, તેવો ઉદ્યમ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં નહિ હોવા છતાં એકાગ્રતાને અનુરૂપ પ્રારંભકાળનો રત્નત્રયીનો ઉદ્યમ અધ્યાત્માદિકાળમાં છે, આ પ્રમાણે સ્વીકારીને અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય, એ પાંચે યોગમાં યોગનું લક્ષણ ઘટે એવું લક્ષણ કરવું જોઈએ, અને તેવું યોગનું લક્ષણ પતંજલિ ઋષિએ કર્યું નથી, માટે પતંજલિ ઋષિએ કરેલા ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગના લક્ષણમાં અવ્યાપ્તિ છે. વળી સ્તુત શ્લોક-૩૨ની ટીકામાં કહ્યું કે વ્યવહારનયથી યોગવિશેષના પ્રારંભકાળમાં પણ યોગસામાન્યનો સદ્ભાવ સ્વીકારવો જોઈએ, તેથી વ્યવહારનય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy