SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૩૨ ૧૬૧ સદ્દભાવ સ્વીકારવો જોઈએ. વળી વ્યવહારેપ અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે નિશ્ચયનયથી તો યોગના પ્રારંભકાળમાં યોગનો સદ્ભાવ અવશ્ય સ્વીકારવો જોઈએ, પરંતુ વ્યવહારનયથી પણ યોગના પ્રારંભકાળમાં યોગસામાન્યનો સદ્ભાવ અવશ્ય સ્વીકારવો જોઈએ. ભાવાર્થ : શ્લોક-૩૧માં પતંજલિ ઋષિ તરફથી કોઈએ કહ્યું કે યોગના પ્રારંભકાળમાં યોગ નથી, તેથી અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ અવ્યાપ્ત થતું નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે : યોગના પ્રારંભકાળમાં પણ નિશ્ર્ચયનયથી યોગનું વ્યવસ્થાપન : યોગના પ્રારંભકાળમાં પણ નિશ્ચયનયથી યોગનો સ્વીકાર થાય છે, તેથી અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગ છે, તેમ સ્વીકારવું જોઈએ. વળી નિશ્ચયનયથી યોગના પ્રારંભકાળમાં પણ યોગ કેમ છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે - નિશ્ચયનય કહે છે કે “યિમાનું તમ્'=જે કરાતું હોય તે કરાયું કહેવાય.' અને અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં એકાગ્રતાદિરૂપ યોગની નિષ્પત્તિ કરવાનો પ્રારંભ કરાયો છે, અને જેનો પ્રારંભ કરાયો તે કરાયું, તેમ નિશ્ચયનય સ્વીકારે છે માટે અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગ છે, તેમ અવશ્ય સ્વીકારવું જોઈએ. વળી નિશ્ચયનય ‘જે કરાતું હોય તે કરાયું' એમ કહે છે તે યુક્તિયુક્ત છે, એ બતાવવા અર્થે કહે છે કે યોગના પ્રારંભકાળમાં જો યોગની અનુત્પત્તિ હોય તો યોગના અગ્રિમકાળમાં પણ યોગની અનુત્પત્તિ થાય. જેમ તંદુલને રાંધવા માટે મૂકવામાં આવે તો પ્રથમ પાક સમયમાં પણ તે તંદુલ કાંઈક રંધાય છે; અને જો પ્રથમ ક્ષણમાં પાકની ક્રિયાથી લેશ પણ તંદુલ રંધાતા ન હોય તો ઉત્તરની ક્ષણમાં પણ રંધાયેલા તંદુલની પ્રાપ્તિ થાય નહિ. તેમ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં શુદ્ધ આત્મભાવમાં જવા માટેના યત્નનો પ્રારંભ કરાતો હોય ત્યારે લેશ પણ યોગની પ્રાપ્તિ ન હોય તો, તે અધ્યાત્મ અને ભાવનકાળના ચિત્તની ઉત્તરમાં નિષ્પન્ન થનાર ધ્યાનાદિકાળના ચિત્તમાં પણ યોગની પ્રાપ્તિ થાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy