SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૭ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૧ • નિરુદ્ધ અવસ્થામાં ધ્યાનવિશેષ હોય છે, અને ધ્યાનવિશેષમાં અવિશ્રુતિરૂપ ધારણાનો ઉપયોગ હોય છે, તેથી શુદ્ધ આત્મતત્ત્વમાં નિરોધ પામેલો જે ઉપયોગ ઉત્પન્ન થાય છે, તેવો જ નિરોધ પામેલો ઉપયોગ ઉત્તરમાં અવસ્થિત છે. • એકાગ્ર ચિત્તમાં વીતરાગતાને અવલંબીને વીતરાગના ગુણોમાં એકાગ્ર થયેલું ચિત્ત છે. • નિરુદ્ધ ચિત્તમાં મોહના તરંગો જેમાં નિરુદ્ધ થયેલા છે, એવું નિર્વિકલ્પ જ્ઞાનના ઉપયોગવાળું ચિત્ત છે, તેથી એકાગ્ર અને નિરુદ્ધ આ બે અવસ્થા સમાધિમાં ઉપયોગી છે. • અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં શ્રાવકનું કે સાધુનું ચિત્ત જે કોઈ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત છે, તે અનુષ્ઠાનના ભિન્ન ભિન્ન સૂત્રોમાં કે અર્થમાં કે મુદ્રા વગેરેમાં ઉપયોગવાળું ચિત્ત છે, પરંતુ એક જ વિષયમાં અવસ્થિત ઉપયોગ નથી. આ રીતે અધ્યાત્મ અને ભાવનાયુક્ત શુદ્ધ ચિત્તમાં એક જ વિષયમાં અવસ્થિત ઉપયોગ નહિ હોવાથી એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં જેવા પ્રકારનો સત્ત્વનો ઉત્કર્ષ છે, તેવા પ્રકારનો સત્ત્વનો ઉત્કર્ષ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં નથી. વળી એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં જેવા પ્રકારનું યથોત્તર અવસ્થિત ચિત્ત છે, તેવા પ્રકારનું યથોત્તર અવસ્થિત ચિત્ત અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં નથી, માટે અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનો પ્રારંભ છે, પરંતુ યોગ નથી, તેમ પતંજલિ ઋષિ કહે છે. દષ્ટાંત દ્વારા સારાંશ - રસોઈનો પ્રારંભ કર્યો હોય અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનો પ્રારંભ તો રસોઈ થઈ નથી તેમ ? છે, પરંતુ યોગ નથી તેમ કહેવાય. કહેવાય * રસોઈ થઈ ચૂકી હોય ત્યારે ચિત્ત સમાધિવાળું હોય ત્યારે યોગ છે, રસોઈ થઈ ગઈ છે તેમ – તેમ કહેવાય, ચિત્તની સમાધિ એકાગ્ર અને કહેવાય નિરુદ્ધ ચિત્તમાં છે. * રસોઈનું ફળ ખાનારને સમાધિનું ફળ મોક્ષની પ્રાપ્તિ છે. તૃપ્તિ થાય છે. 2૩૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy