SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ૧પ૧ આ પ્રકારના દોષના પરિહાર માટે પતંજલિ ઋષિ તરફથી કહેવામાં આવે કે ચિત્તવૃત્તિનિરોધમાં જે “રોધ' શબ્દ છે, તે રોધનો અર્થ એકાગ્રતા સુધી ગ્રહણ કરવો અર્થાત્ ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એમ પાંચ પ્રકારના ચિત્તમાં જે નિરુદ્ધ ચિત્ત છે, અને જે એકાગ્ર ચિત્ત છે, તે બંને ચિત્તને રોધ શબ્દથી ગ્રહણ કરવાં, અને તેમ ગ્રહણ કરવાથી કાયરોધમાં, વાગરોધમાં કે એકાગ્રતાપૂર્વકની સમિતિની પ્રવૃત્તિમાં “ચિત્તવૃત્તિનિરોધ એ યોગનું લક્ષણ અવ્યાપ્ત થશે નહિ; કેમ કે જે સાધુ યતનાપૂર્વક સમિતિમાં સુદઢ વ્યાપારવાળા છે, તેઓ કાયરોધવાળા કે વાગુરોધવાળા હોય છે, અને તે વખતે જે ઇર્યાસમિતિ કે ભાષાસમિતિ આદિનું પાલન કરે છે, તે સર્વમાં યોગનું લક્ષણ સંગત થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – રોધ’ શબ્દ એકાગ્રતાનિરોધમાત્રસાધારણ કહેવામાં અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનું લક્ષણ અવ્યાપ્ત : ચિત્તવૃત્તિનિરોધમાં રહેલા નિરોધ શબ્દનો અર્થ એકાગ્રતા સુધી ગ્રહણ કરવામાં આવે તો કાયરોધાદિમાં આવતી અવ્યાપ્તિ દૂર થાય તોપણ, કોઈ સાધક અધ્યાત્મ કે ભાવનાથી શુદ્ધ ચિત્તવાળા હોય અને એકાગ્રતાદિ પરિણામવાળા ન હોય, તેવા સાધકના યોગમાં ચિત્તવૃત્તિ નિરોધરૂપ પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ જશે નહિ, તેથી પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં અવ્યાપ્ત છે. વિશેષાર્થ – કોઈ સાધુ ભગવાનના વચનના સ્મરણપૂર્વક સર્વ ઉચિત ક્રિયાઓ કરતા હોય અને ઉચિત સ્થાને બેસીને ચિત્તને શુદ્ધ આત્મતત્ત્વમાં નિરુદ્ધ કરીને રહેલા હોય ત્યારે ચિત્તવૃત્તિના રોધની પ્રાપ્તિ છે. જેમ અસંગભાવવાળા મુનિનું ચિત્ત શુદ્ધ આત્મભાવમાં વિશ્રાંત હોય છે, તેથી તેઓનું ચિત્ત નિરોધવાળું હોય છે; અને તેવા મુનિ પ્રસંગે ભિક્ષાટનાદિ માટે જતા હોય ત્યારે અત્યંત સમભાવના પરિણામવાળા હોય છે, તેથી ઇર્યાસમિતિપૂર્વક ભિક્ષાટનાદિ કરતા હોય ત્યારે તેઓની કાયા શુદ્ધ આત્મભાવમાં વિશ્રાંત થાય તે રીતે ઉપયોગવાળી હોય છે, તેથી જગતના વિષયો પ્રત્યે તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy