SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૯ યોગસાધના કરે છે ત્યારે યોગસાધનાના કાળમાં અંતર્મુખ વ્યાપાર અનુભૂયમાત=અનુભવાતો છે, તેથી અનુભૂયમાન=અનુભવાતા એવા ક્રમસર બે પ્રકારના વ્યાપારરૂપ એકઉપયોગસ્વભાવપણાથી પુરુષને સ્વીકારવામાં અંતર્મુખ અને બહિર્મુખ બે વ્યાપારનો વિરોધ નથી. I૨૯।। * વોષાવસ્યાપ્યસ્પર્શાત્ - અહીં પ થી એ કહેવું છે કે પૂર્વમાં બતાવ્યું એ પ્રમાણે જૈનદર્શન પદાર્થ માને છે, તેથી જૈનદર્શનમાં ઘણા દોષોનો તો સ્પર્શ નથી, પરંતુ દોષ લવનો પણ અસ્પર્શ છે. ભાવાર્થ : મુક્ત આત્મામાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ અને મુક્ત આત્માને પણ ભવસ્થશરીરાવચ્છેદેન ભોગની આપત્તિ : આ બે દોષના ભયથી સાંખ્યદર્શનકાર પ્રત્યાત્મ ભિન્ન પ્રકૃતિ સ્વીકારે તો તે પ્રકૃતિનું જૈનદર્શનકારના મતે ભોગનું અને અપવર્ગનું નિર્વાહક કર્મ સિદ્ધ થાય શ્લોક-૨૮ની ટીકામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે જો મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારવામાં આવે તો સાંખ્યદર્શનકારને મુક્ત આત્મામાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ આવે, અને મુક્ત આત્માને પણ ભવસ્થ શરીરાવચ્છેદેન ભોગની આપત્તિ આવે. આ બે દોષના ભયથી સાંખ્યદર્શનકાર દરેક આત્મામાં વિશ્રાંત પ્રધાનને=પ્રકૃતિને, જુદી સ્વીકારે તો એ પ્રધાન=પ્રકૃતિ, કર્મ થાય, અને તે પ્રધાન=પ્રકૃતિ, ભોગ અને અપવર્ગની નિર્વાહક થાય. ૧૪૪ આશય એ છે કે જીવ જે કર્મ બાંધે છે, તે કર્મથી જીવને દેહનો સંયોગ અને ભોગસામગ્રીનો સંયોગ પ્રાપ્ત થાય છે, તેથી કર્મ ભોગનું નિર્વાહક છે; અને જ્યારે તે કર્મ કાંઈક મંદ પડે છે, ત્યારે તે કર્મની સહાયથી યોગમાર્ગના પ્રતિબંધક એવા ક્ષયોપશમભાવવાળા કર્મની સહાયથી, યોગી પુરુષ અપવર્ગની સાધના કરે છે, તેથી ભોગની પ્રાપ્તિનું નિર્વાહક અને અપવર્ગની પ્રાપ્તિનું નિર્વાહક જે કર્મ જૈનદર્શનકાર સ્વીકારે છે, તેને સાંખ્યદર્શનકારે પ્રધાન= પ્રકૃતિ, શબ્દથી સ્વીકારે છે. અહીં વિશેષ એ છે કે સાંખ્યદર્શનકાર પ્રત્યાત્મ પ્રધાનભેદ સ્વીકારે તો તે પ્રધાન=પ્રકૃતિ, આત્માના ભોગ અને અપવર્ગનું નિર્વાહક એવું કર્મ જ થાય. વળી, જૈનદર્શનને માન્ય કર્મ અપવર્ગનું નિર્વાહક આ રીતે છે Jain Education International For Private & Personal Use Only — www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy