SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ ૧૨૭ પ્રત્યાહારધારાધ્યાનસમાધયોગષ્ટાવાન”=યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ આઠ યોગાંગો કહ્યાં. તેથી એ પ્રાપ્ત થયું કે જે યોગી યમ, નિયમ વગેરે યોગનાં આઠ અંગોનું સેવન કરે છે, અને અંતે યોગના આઠમાં અંગરૂપ સમાધિની પ્રાપ્તિ થયા પછી તેનાથી ચિત્તવૃત્તિના નિરોધરૂપ યોગને પ્રાપ્ત કરે છે; અને જ્યારે યોગી યોગનિરોધને પ્રાપ્ત કરે છે, ત્યારે દ્રષ્ટા એવો પુરુષ સ્વરૂપમાં અવસ્થાનવાળો છે, તેમ પાતંજલ દર્શનકાર કહે છે. તેથી “તેવા દ્રષ્ટ્ર સ્વરૂપાવરથાનમ્ પાતંજલયોગસૂત્ર-૧/૩ પ્રમાણે પુરુષ સદા સ્વરૂપમાં અવસ્થાનવાળો નથી, પરંતુ યોગનાં આઠ અંગોના સેવનથી જ્યારે ચિત્તવૃત્તિના નિરોધરૂપ યોગને પ્રાપ્ત કરે છે, ત્યારે પુરુષ સ્વરૂપમાં અવસ્થાનવાળો છે, તેમ નક્કી થાય છે. આ પ્રકારનું યોગનું લક્ષણ અને અષ્ટાંગ યોગનું વર્ણન પતંજલિ ઋષિએ યોગીઓના અનુભવને અનુસારે કરેલ છે, અને યોગીઓના અનુભવનો વિષય જ્યારે યોગનિરોધ થાય છે, ત્યારે દ્રષ્ટા એવો યોગી સ્વરૂપમાં અવસ્થાનવાળો છે, એમ કહેવાય છે. આ પ્રકારના અનુભવનો વિષય પાતંજલ મત દ્વારા જો કાલ્પનિક સ્વીકારવામાં આવે તો લોકને ઘટાદિ વિષયનો અનુભવ છે, અને તે અનુભવ પ્રમાણે લોકો ઇષ્ટ એવા ઘટાદિ વિષયોને ગ્રહણ કરે છે, અને પોતાને અનિષ્ટ એવા કટકાદિ વિષયોનો ત્યાગ કરે છે, તે વ્યવહારના વિષયભૂત ઘટાદિ પણ કાલ્પનિક છે, તેમ માનવાની પાતંજલ દર્શનકારને આપત્તિ આવે; અને આ રીતે અનુભવને અનુરૂપ વ્યવહારના વિષયભૂત પદાર્થોને કાલ્પનિક સ્વીકારીએ તો જગતમાં કાંઈ નથી, જગત શૂન્ય છે, એ પ્રકારના શુન્યવાદીના મતમાં સાંખ્યદર્શનકારનો પ્રવેશ થાય. ૨કા અવતરણિકા - શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પુરુષને વ્યંજક સ્વીકારશો તો પુરુષ અભિવ્યક્તિનો જનક હોવાથી પુરુષ અકારણ છે, તેમ સિદ્ધ થશે નહિ, પરંતુ અભિવ્યક્તિરૂપ કાર્યનું કારણ છે તેમ સિદ્ધ થશે; અને તેથી પુરુષ ફૂટસ્થ નથી, તેમ સિદ્ધ થશે. તે આપત્તિના નિવારણ માટે પાતંજલ દર્શનકારે કહ્યું કે પુરુષનું અભિવ્યંજકપણું એ અભિવ્યક્તિજનકપણું નથી, પરંતુ અભિવ્યક્તિ દેશના આશ્રયપણારૂપ અધિષ્ઠાતપણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy