SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૧૯ વળી સ્વકારણમાં અનુપ્રવેશ દ્વારા અસ્મિતા અંતવાળો પ્રતિલોમ પરિણામ છે. ને પ્રકૃતિનું પ્રયોજન અપવર્ગ હોય છે, ત્યારે પ્રકૃતિ પુરુષના અપવર્ગની નિષ્પત્તિ અર્થે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, અને સાધનાની અંતિમ ભૂમિકામાં અસ્મિતા સમાધિ પ્રગટે છે, તે વખતે જે ક્રમથી પ્રકૃતિમાંથી મહદાદિ તત્ત્વો પ્રગટેલાં તે સર્વ પ્રતિલોમથી પોતપોતાના કારણમાં પ્રવેશ પામે છે અર્થાત્ પ્રતિલોમ પરિણામથી સર્વ કાર્યો પોતપોતાના કારણમાં પ્રવેશ પામે છે, ત્યારે બુદ્ધિનું કારણ જે પ્રકૃતિ છે, તે પ્રકૃતિમાં ચિત્તરૂપ બુદ્ધિ લીન હોય છે, ત્યારે અસ્મિતા સમાધિ વર્તે છે, તેથી અસ્મિતા અંતમાં છે તેવો પ્રતિલોમ પરિણામ પ્રકૃતિરૂપ કારણમાં અનુપ્રવેશ દ્વારા પ્રાપ્ત થાય છે. ત્યં ૨ .... મારમતે, અને આ રીતે પુરુષના ભોગની પરિસમાપ્તિ થવાથી સહજ શક્તિદ્વયતા ક્ષયને કારણે કૃતાર્થ થયેલી પ્રકૃતિ ફરી પરિણામો આરંભ કરતી નથી બુદ્ધિ પ્રકૃતિમાં લીન થાય છે એ રીતે, પુરુષમાં ભોગની પરિસમાપ્તિ થવાથી અસ્મિતા સમાધિ પ્રગટ્યા પછી પુરુષની મુક્તિ થાય છે ત્યારે પ્રકૃતિની આનુલોમ્ય શક્તિ અને પ્રાતિલોમ્ય શક્તિ ક્ષય થવાને કારણે તે પુરુષ પ્રત્યે પ્રકૃતિ કૃત અર્થવાળી થાય છે, તેથી ફરી પરિણામનો આરંભ કરતી નથી. વંવિદાય . અનુપરિરિરિ I અને આવા પ્રકારની પૂર્વમાં કહ્યું કે આનુલોમ્યથી અને પ્રાતિલોપથી સ્વાભાવિક બે શક્તિ છે, તે પુમર્થનું કર્તવ્યપણું છે એવા પ્રકારની, પુરુષાર્થ કર્તવ્યતા હોતે છતે પ્રકૃતિનું જડપણું હોવાને કારણે કર્તવ્ય અધ્યવસાયના અભાવમાં પણ“આ મારે કરવું જોઈએ” એ પ્રમાણે કર્તવ્ય અધ્યવસાયના અભાવમાં પણ, કોઈ અનુપપત્તિ નથી. ત્તિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિ સૂચક છે. I૧૯. ભાવાર્થ : શ્લોક-૧૨ની ટીકામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પ્રકૃતિ જડ હોવાને કારણે પુરુષાર્થ મારે કરવો જોઈએ, એવો અધ્યવસાય પ્રકૃતિને થઈ શકે નહિ, અને જો પ્રકૃતિને પુરુષાર્થ મારે કરવો જોઈએ, એવો અધ્યવસાય થાય છે, એમ સ્વીકારીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy