SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંચિકા/બ્લોક-૧૯ શ્લોક-૧૩માં આત્માને અપરિણામી સ્વીકારવાની યુક્તિ બતાવી. તેથી સિદ્ધ થયું કે આત્મા અપરિણામી છે. વળી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા ચિત્તને સ્વ-પરપ્રકાશક સ્વીકારીને દૃષ્ટ વ્યવહારની સંગતિ થઈ જતી હોય તો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા ચિત્તથી અતિરિક્ત પુરુષને માનવાની જરૂર નથી, એવી શંકા કરીને સમાધાન કર્યું કે ચિત્ત સ્વ-પરપ્રકાશક થઈ શકે નહિ, પરંતુ ચિત્ત પરપ્રકાશક છે, અને ચિત્તને પરપ્રકાશક સ્વીકારવાથી પ્રશ્ન થયો કે જો ચિત્ત પોતાનું પ્રકાશન ન કરી શકે તો ચિત્તનું પ્રકાશન થયા વગર ચિત્ત અર્થનું પણ પ્રકાશન કરી શકે નહિ; અને ચિત્ત અર્થનું પ્રકાશન કરે છે તે સર્વલોકને સિદ્ધ છે, તેથી ચિત્તનો પ્રકાશક દૃષ્ટા પુરુષ છે અને ચિત્ત પરપ્રકાશક છે, તેમ શ્લોક-૧૫માં ગ્રંથકારશ્રીએ પાતંજલ યોગસૂત્ર રાજમાર્તડ પ્રમાણે સ્થાપન કર્યું. આનાથી એ ફલિત થયું કે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે અને તે પ્રતિબિંબરૂપ પુરુષનો ભોગ છે, તેથી પુરુષ નિર્લેપ હોવા છતાં સંસારની સંગતિ થાય છે. વળી પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડતું હોવાને કારણે પુરુષના પ્રતિબિંબવાળી બુદ્ધિ યોગનો વ્યાપાર કરે ત્યારે તે બુદ્ધિના વ્યાપારથી તે પુરુષ પ્રત્યે પ્રકૃતિ નષ્ટ થાય છે, તેથી પુરુષનો મોક્ષ પણ સંગત થાય છે. આનાથી એ સિદ્ધ થયું કે પુરુષ અપરિણામી છે, આમ છતાં પુરુષનો સંસાર પણ સંગત થાય છે અને મોક્ષ પણ સંગત થાય છે. આ રીતે શ્લોક-૧૧નું સમાધાન કર્યા પછી શ્લોક-૧૨ના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રીએ પતંજલિ ઋષિના મતમાં આપત્તિ આપેલ કે પ્રકૃતિ એક હોતે છતે એકની મુક્તિ થયે છતે સર્વની મુક્તિ થશે અથવા કોઈની મુક્તિ થશે નહિ. તેનું સમાધાન કરતાં શ્લોક-૧૬ થી ૧૮ સુધીમાં પતંજલિ ઋષિના મતાનુસાર ગ્રંથકારશ્રીએ બતાવેલ કે બે પ્રકારની ચિત્શક્તિ છે - (૧) નિત્યોદિતા અને (૨) અભિવ્યંગ્યા; અને તેમ સ્વીકારવાથી પ્રતિબિંબાત્મક ભોગની ઉપપત્તિ થાય છે. વળી બુદ્ધિ એક હોવા છતાં દરેક પુરુષના ભોગો જુદા જુદા કઈ રીતે સંગત થાય છે, તે યુક્તિથી શ્લોક-૧૮માં બતાવીને તેના બળથી સ્થાપન કર્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy