SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કપ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ રૂતિ શબ્દ તૈયાયિકની માન્યતાના નિરાકરણની સમાપ્તિ માટે છે. તેયાયિકની માન્યતા અનુસાર પ્રતિષ્ઠાવિધિથી શું થાય છે ? જેના કારણે પૂજાફળની પ્રાપ્તિ થાય છે ? તે બતાવીને તૈયાયિકનું તે કથન સંગત નથી, તે યુક્તિથી સ્થાપન કર્યું, અને તેના પૂર્વે જૈન મતાનુસાર પ્રતિષ્ઠાવિધિથી કઈ રીતે પૂજાફળની પ્રાપ્તિ થાય છે? તે યુક્તિથી બતાવેલ. તેમાં તૈયાયિક તરફથી કોઈ શંકા કરતાં કહે છે – ના અવતામપિ.... અને તમને પણ જૈનોને પણ, વ્યાસંગતા વશથી પૂજા કરનારની અન્યમનસ્કતાના વશથી, પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનનો અભાવ હોતે છતે=આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એ પ્રકારના ઉપયોગનો અભાવ હોતે છત, પૂજાફળની અનુપપત્તિ છેઃપૂજા કરનારને પૂજાફળની અપ્રાપ્તિ છે, એમ ન કહેવું; કેમ કે વિશેષ ફળનો અભાવ હોવા છતાં પણ પ્રીતિ આદિથી=ભગવાનના ગુણોમાં પ્રીતિ આદિથી, સામાન્ય ફળનો અપાય છે=ભગવાનની પૂજા કરનારને ભગવાનના ગુણોની પ્રીતિને કારણે જે ઉત્તમ ભાવો થાય છે, તેને અનુરૂપ સામાન્ય નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ છે. વળી જેઓ વડે યથાર્થ પ્રતિષ્ઠિતત્વનું પ્રત્યભિજ્ઞાન પૂજાફળસામાન્યમાં જ પ્રયોજક ઈચ્છાય છે, તેઓને આ પણ દોષ જ છેતૈયાયિકે પૂર્વમાં આપેલ કે જે પૂજા કરનારને વ્યાસંગવશથી પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન નથી, તેઓને પૂજાફળની અપ્રાપ્તિ છે, એ રૂપ આ પણ દોષ જ છે. ‘પ્રતિમરિ’ - અહીં ‘આથી અક્ષને ગ્રહણ કરવું. ‘વિશેષને વિ' - અહીં ‘પ'થી એ કહેવું છે કે વિશેષનું દર્શન ન હોય ત્યાં તો “આ હું છું' એવી બુદ્ધિનો સંભવ છે, પરંતુ વિશેષદર્શન હોવા છતાં પણ સ્વસાદશ્યને જોનારને “આ હું છું' એવા આહાર્ય આરોપનો સંભવ છે. ના' - અહીં ‘પ'થી એ કહેવું છે કે જ્ઞાનનો નાશ ન હોય તો તો પૂજાફળની અનુપપત્તિ નથી, પરંતુ જ્ઞાનના નાશમાં પણ સંસ્કાર હોવાને કારણે પૂજાફળની અનુપપત્તિ નથી. ‘પૃશ્યસ્પર્શનાવિ’ – અહીં ‘ત્તિથી પ્રતિમાની ખંડિતતાનું ગ્રહણ કરવું. અવતાર' - અહીં ‘પથી તૈયાયિક એ કહે છે કે અમને તો ગ્રંથકારે જે દોષો આપ્યા, તે દોષોની પ્રાપ્તિ છે, પરંતુ તમને પણ વ્યાસંગના વશથી પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનના અભાવમાં પૂજાફળની અનુપપત્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy