SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૮-૨૯ ૧૨૭ સાધુ શક્તિ અનુસાર સમભાવના પરિણામને કરીને તેની વૃદ્ધિના ઉપાયભૂત વચનાનુષ્ઠાનમાં યત્ન કરે છે અર્થાત્ ભગવાનના વચનના સ્મરણપૂર્વક સમભાવની વૃદ્ધિનું કારણ બને તે રીતે સર્વ પ્રવૃત્તિ શક્તિના પ્રકર્ષથી સેવે છે, જે ભાવસ્તવરૂપ છે, અને આ ભાવસ્તવ ક્રમે કરીને અસંગભાવને પ્રાપ્ત કરાવશે; અને શ્રાવક હજુ ભોગાદિથી પર મનોવૃત્તિવાળા થયા નથી, આમ છતાં ભગવાનના વચનાનુસાર નિરારંભ જીવન જીવવાની ઇચ્છાવાળા છે. તેથી તેની શક્તિના સંચય અર્થે દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે. સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યસ્તવથી ભાવસ્તવ પ્રાપ્ત થાય છે=સર્વવિરતિરૂપ વચનાનુષ્ઠાન પ્રાપ્ત થાય છે, અને તે વચનાનુષ્ઠાનથી અસંગઅનુષ્ઠાન પ્રાપ્ત થાય છે અને અસંગઅનુષ્ઠાનના સેવનથી ક્ષપકશ્રેણી પ્રગટે છે, જેથી ક્રમસર વીતરાગતા, કેવળજ્ઞાન અને યોગનિરોધ પ્રગટે છે. ૨૮ અવતરણિકા : શ્લોક-૨૮માં સ્થાપન કર્યું કે સાધુ ભાવસ્તવમાં આરૂઢ હોવાને કારણે દ્રવ્યસ્તવના અધિકારી નથી. હવે કોઈક ગૃહસ્થો સર્વવિરતિ સંયમતી નજીક ભૂમિકાવર્તી તેવા ભાવસ્તવમાં આરૂઢ હોય તેઓ પણ દ્રવ્યસ્તવના અધિકારી નથી, તે બતાવવા અર્થે કહે છે શ્લોક ઃ प्रकृत्यारम्भभीरुर्वा यो वा सामायिकादिमान् । गृहीतस्यापि नात्रार्थेऽधिकारित्वमतः स्मृतम् ।।२९।। અન્વયાર્થ: અતઃ=આથી=ભાવસ્તવમાં આરૂઢ થયેલા એવા સાધુ દ્રવ્યસ્તવમાં અતાધિકારી છે આથી, પ્રત્યારમ્ભમીરુ: વૃત્તી=પ્રકૃતિથી આરંભભીરુ એવા ગૃહસ્થ, વા=અથવા, યો=જે, સામાવિવવિમા=સામાયિક આદિવાળા ગૃહસ્થ છે, તાવિ=તેને પણ, અત્રાર્થે=આ અર્થમાં=જિનપૂજારૂપ અર્થમાં, સધિજ્ઞાતિત્વ=અધિકારીપણું, સ્મૃતમ્ ન=મનાયું નથી. ।।૨૯।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy