SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિવાત્રિશિકા/બ્લોક-૨૫ ૧૧૫ ક્ષેત્રોમાંથી અન્ય પાસેથી વિધિપૂર્વક ઉત્તમ સામગ્રી મંગાવે છે. આમ છતાં, લોકોત્તમ પુરુષની ભક્તિ માટે તે સામગ્રીથી પણ તેને સંતોષ થતો નથી, તેથી દેવતા આદિથી સાધ્ય નંદનવનનાં સહસ્ત્રદલ કમળ આદિ પુષ્પોને મેળવવાનો તેને અભિલાષ થાય છે; અને તે અભિલાષ કાયા અને વચનથી પૂર્ણ કરવો અસંભવિત જણાવાથી મન દ્વારા વિધિપૂર્વક નંદનવન આદિમાં જાય છે, અને ત્યાંથી ઉત્તમ પુષ્પાદિ સામગ્રી મન દ્વારા મેળવીને તે પુષ્પોથી મન દ્વારા ભગવાનની પૂજા કરે છે. તે પૂજાકાળમાં ભગવાનની ભક્તિમાં તન્મય થયેલા એવા તે શ્રાવકની તે પૂજા મનોયોગસારા છે. આ પૂજા મોક્ષરૂ૫ ફળને આપનારી છે, એમ શાસ્ત્રકારો કહે છે. આ પૂજા મહાશ્રાવકને ફલાવંચકથી થાય છે, તેમ “વૈરાગ્યકલ્પલતામાં કહેલ છે તે પ્રમાણે ઉત્તમ પુરુષના યોગનું ફળ અપ્રમાદભાવથી ઉત્તમ પુરુષ તુલ્ય થવાનો પ્રયત્ન છે અને મહાશ્રાવક તીર્થકરોના માર્ગને પ્રાપ્ત કરીને તેમની જેમ વીતરાગ બનવાના ઉપાયરૂપે શક્તિના પ્રકર્ષથી ઉત્તમ દ્રવ્યોના સહકારથી વીતરાગની ભક્તિ કરે છે ત્યારે, અપ્રમાદભાવથી સર્વવિરતિની શક્તિને સંચય કરવાને અનુકૂળ ઉદ્યમ કરે છે. તેથી ઉત્તમ પુરુષના યોગનું ફળ અવંચક બને છે માટે આ પૂજા મોક્ષરૂપ ફળને આપનારી છે. સંક્ષેપથી ત્રણ પૂજાનું સ્વરૂપ - (૧) સમ્યગ્દષ્ટિને કાયયોગપ્રધાન પૂજા હોય છે. તેઓ સ્વશક્તિ અનુસાર ભગવાનની ભક્તિ અર્થે કાયાથી પૂજાની ઉત્તમ સામગ્રી એકઠી કરે છે અને નિરતિચાર પૂજાની ક્રિયા કરે છે. સમ્યગ્દષ્ટિને ભગવાનના ગુણોનો યથાર્થ બોધ હોવાથી ગુણવાન પુરુષનો યોગ તેના માટે અવંચક છે. તેથી યોગાવંચકના બળથી કાયયોગસારા પૂજા થાય છે. (૩) ઉત્તરગુણધારી શ્રાવકને વાગ્યોગપ્રધાન પૂજા હોય છે. તેઓ સ્વશક્તિ અનુસાર કાયાથી પૂજાની ઉત્તમ સામગ્રી મેળવે છે, અને વચનથી અન્ય પાસેથી દૂરનાં ક્ષેત્રોમાંથી ભગવાનની ભક્તિ અર્થે પૂજાની ઉત્તમ સામગ્રી એકઠી કરે છે અને નિરતિચાર પૂજાની ક્રિયા કરે છે. ઉત્તરગુણધારી શ્રાવકને ક્રિયાઅવંચકના બળથી વાગ્યોગસારા પૂજા પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy