SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક પ્રતિષ્ઠાવિધિમાં મંત્રજાસાદિની યુક્તિયુક્તતા તથા પ્રતિદિન ભગવાનની પૂજાની વિધિનું સ્વરૂપ, પૂજાના પ્રકાર બે રીતે, ઇત્યાદિ શ્લોક-૨૦થી ૨૬ સુધી બતાવ્યું. ત્યાં ભગવાનની ભક્તિમાં કરાતા સ્નાનાદિથી થતી હિંસાત્મક પૂજા ઈષ્ટ નથી તેવી કોઈને શંકા થતાં યુક્તિથી સમાધાન શ્લોક-૨૭માં બતાવ્યું કે તે અશક્યપરિહારરૂપ છે. વળી “આ ભગવાનની ભક્તિ કરી હું સંસારસાગરને તરું’ એમ ગુણોની વૃદ્ધિ અર્થે કરાતી પૂજા નિરવઘ છે અને નિર્જરાનું કારણ છે. ત્યારબાદ શ્લોક-૨૮-૨૯માં ભાવરૂવારૂઢ સાધુ તથા પ્રકૃતિથી આરંભભીરુ સામાયિક આદિવાળા શ્રાવક પણ દ્રવ્યસ્તવના અનધિકારી છે તે બતાવ્યું. જે શ્રાવકો સ્વજીવનમાં આરંભ કરનારા હોવા છતાં ભગવાનની ભક્તિમાં આરંભની શંકાથી પૂજાની સામગ્રીમાં સંકોચ કરનારા છે તેવા શ્રાવકને પૂજા કરવાથી પણ પ્રકૃષ્ટ અબોધિની પ્રાપ્તિ થાય છે તે વાત શ્લોક-૩૦માં જણાવી. માટે ભગવાનની ભક્તિ અર્થે શક્તિને અનુરૂપ વિપુલ ઉત્તમ સામગ્રીથી પૂજા કરવી જોઈએ અને તેના માટે ધન ન હોય તો ધનપ્રાપ્તિ માટે પણ ઉદ્યમ કરવો જોઈએ તે બતાવ્યું. અને શ્લોક-૩૧માં ધર્મ માટે આરંભની પ્રવૃત્તિ સ્વીકારવાથી પ્રાપ્ત શાસ્ત્રપાઠોનો વિરોધ આવશે એવી પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ સંકાશશ્રાવકના દૃષ્ટાંત અને દુર્ગાનારીના દૃષ્ટાંતથી કર્યું અને અંતે ઉપસંહાર કરતાં શ્લોક-૩૨માં વીતરાગની પૂજાથી પરમાનંદરૂપ મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય છે તેની યુક્તિ બતાવી, આ ધાáિશિકાની પૂર્ણાહૂતિ કરેલ છે. પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રકૃપા એક ગ્રંથકારશ્રીની કૃપાથી પ્રસ્તુત બત્રીશીના શબ્દશઃ વિવેચનની સંકલનાનો પ્રયાસ યત્કિંચિત્ સફળ થયો છે. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી, અને યોગમાર્ગમર્મજ્ઞ અને મને યોગમાર્ગનો બોધ કરાવવામાં ધર્મબોધકર એવા સ્વ. પ. પૂ. મોટા પંડિત મહારાજ પૂ. મોહજિતવિજયજી મહારાજાએ જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, ૫.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પ. પૂ. યશોવિજયજી મહારાજાના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર મારો યત્ન થતો રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy