SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૦ અહીં વિશેષ એ છે કે બલિ આદિનું આપાદન ન કરવામાં આવે તો ક્ષેત્રદેવતા અવશ્ય કૂપિત થાય અને વિદ્ધ કરે જ એવો એકાંત નિયમ નથી, પરંતુ શાસ્ત્રવિધિ અનુસાર બલિ આદિનું આપાદન ન કરવામાં આવે તો કોઈક ક્ષેત્રદેવતાને કોપ પણ થાય, તેવી સંભાવના છે. તેથી શિષ્ટ પુરુષો સંભવિત અનર્થના નિવારણ માટે બલિ આદિના આપાદનરૂપ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે, અને આ રીતે સંભવિત અનર્થના પરિવાર અર્થે ઉચિત પ્રવૃત્તિ કરવાથી શાસનની ઉન્નતિ થાય છે; કેમ કે વિચારકને તે ઉચિત પ્રવૃત્તિ જોઈને ભગવાનના શાસન પ્રત્યે બહુમાન થાય છે અર્થાત્ જેમ જિનાલયના નિર્માણમાં કોઈને અપ્રીતિ ન થાય તદર્થે ભૂમિ ખરીદતી વખતે જ તે ક્ષેત્રમાં વસતા લોકોને જિનાલય પ્રત્યેના બહુમાનવાળા કરવા અર્થે જિનાલય નિર્માણ કરનાર શ્રાવક તેઓનું સન્માન કરે, તેવી ઉચિત પ્રવૃત્તિ ભગવાનના શાસનમાં બતાવેલ છે. તે રીતે “પ્રતિમાની પ્રતિષ્ઠા વખતે પણ ક્ષેત્રદેવતાને કોપની પ્રાપ્તિ ન થાય, અને પ્રતિષ્ઠામાં વિઘ્ન કરીને ક્ષેત્રદેવતા પોતાનું અહિત ના કરે, અને અન્યને પણ હિતની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત ન બને, તદ્અર્થે ઉચિત પ્રવૃત્તિનું વિધાન ભગવાનના શાસનમાં છે” તેવું જ્ઞાન થવાથી વિવેકીને ભગવાનના શાસન પ્રત્યે બહુમાન થાય છે. આ રીતે શાસનની ઉન્નતિનું નિમિત્ત બલિ આદિનું આપાદન છે; અને જે પ્રવૃત્તિથી શાસનની ઉન્નતિ થાય તે પ્રવૃત્તિથી વિશેષ પ્રકારના અભ્યદયની પ્રાપ્તિ થાય. તેથી પ્રતિષ્ઠા અવસરમાં બલિ આદિનું આપાદન અસાર નથી; અને જો પ્રતિમામાં ઉપચારથી સ્થાપના અવસરે બલિ આદિનું આપાદન ન કરવામાં આવે અને તેના કારણે ક્ષેત્રાધિષ્ઠાતૃ કૂપિત થાય અને વિગ્ન કરે તો પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા થઈ શકે નહિ. તેથી અપ્રતિષ્ઠાની આપત્તિ આવે. આ રીતે પ્રતિષ્ઠા અવસરે બલિ આદિનું આપાદન શાસ્ત્રવિધિ અનુસાર છે, તે સ્થાપન કર્યું. હવે જેઓ કહે છે કે સિદ્ધાવસ્થાની મુદ્રાવાળી પ્રતિમાને જલાભિષેકાદિ થાય નહિ, તેનું નિરાકરણ કરતાં કહે છે – જેઓ કહે છે કે “ભગવાનની ભાવસિદ્ધાવસ્થાને સામે રાખીને પ્રતિમામાં પદ્માસન-પર્યકાદિ મુદ્રા કરાય છે. તેથી તે મુદ્રા સિદ્ધાવસ્થાની મુદ્રા છે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy