SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ Illllllllliા શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર કાIIIIIII. નિરાશા, આવેશથી કરવામાં આવે છે. સંથારામાં પ્રાણ અવશ્ય નાશ પામે છે પરંતુ તે રાગ, દ્વેષ અને મોતનું કારણ નથી. માટે જ મારણાંતિક સંલેખનાનો હિંસાની કોટિમાં સમાવેશ કરવામાં આવતો નથી. સંલેખનામાં પ્રમાદનો અભાવ છે કારણ કે તેમાં રાગ આદિ હોતાં નથી. રાગાદિના અભાવે જ સંલેખના કરનારને આત્મઘાતનો દોષ લાગતો નથી. જેમ કોઈ વ્યક્તિ સમાજસેવા અને રાષ્ટ્રસેવાને માટે પોતાનું બલિદાન આપે છે તો આપણે તેના બલિદાનને આત્મહત્યા માનતાં નથી. આ રીતે જે વ્યક્તિ આત્મશુદ્ધિ અને આત્મોત્થાન માટે પોતાનું તન અને મન ધર્મ સાધનામાં ન્યોચ્છાવર કરી દે છે તેના આ મહાન ત્યાગને આત્મહત્યા કેવી રીતે માની શકાય છે ? આત્મહત્યા નિંદાપાત્ર ગુનો છે. કાયરતાપૂર્વક કરવામાં આવતું હલકું કાર્ય છે. જ્યારે સંલેખના પવિત્ર, પ્રશંસનીય અને આત્મોત્થાનનું વીરોચિત કાર્ય છે. તેથી સંલેખના-સંથારાને આત્મહત્યા ન માનવી જોઈએ. જો કોઈ માને તો તે તેની ભૂલ છે. પ્ર.૧ જ.૧ પ્ર.૨ અઢાર પાપ-સ્થાનનો પાઠ અઢાર પાપોમાં સૌથી મોટું પાપ કયું છે? અઢારમું – મિથ્યાદર્શનશલ્ય પાપ સૌથી મોટું (ભયંકર) છે. તેને પાપસ્થાન શા માટે કહેવામાં આવે છે? તે સેવવા યોગ્ય નથી. તેનું આચરણ કરવાથી ઘણા અશુભકર્મોનો બંધ થાય છે. આત્મા દુર્ગતિમાં જાય છે. પાપોનું સ્વરૂપ સમજવું શા માટે આવશ્યક (જરૂરી) છે? તેનાથી પાપકાર્યોથી બચી શકાય છે અને ધર્મ તથા પુણ્યના જ રે પ્ર.૩ an11iian111) |TH 11 113 111111111 11THitlta ( ૨ ૨૮ ) Ila ATITHI BH3IIIIIIIIIIIIIIIIIIIIIIf lifi Har Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy