________________
૨૯૨
અથવા રિવ્યમારીજું શી રીસ એ પ્રકારનો વિકલ્પ સામે રાખીને અર્થ કરે છે. અન્ય પ્રતોમાં અથવા........... ર૬ છ આ પાઠ ગાથા-૧૦૬ના બાલાવબોધના પ્રારંભમાં જોડાઈ ગયો છે. તે પાઠ ગાથા-૧૦૪ના બાલાવબોધમાં ગ્રહણ કરવો સંગત છે, અને તે મુજબ અમે અર્થ કરેલ છે. ll૧૦૪ll અવતરણિકા :- જે જીવ મોક્ષને માને છે અને મોક્ષના ઉપાયને માનતો નથી, તેવો જીવ, જ્યારે મોક્ષ સર્જાયો હશે ત્યારે થશે તેમ કહે છે, તેણે સંસારના ઇષ્ટ પદાર્થમાં પણ પ્રવૃત્તિ કરવી ન જોઈએ; અને જ્યારે તે ઇષ્ટ પદાર્થની પ્રાપ્તિ સર્જાઇ હશે ત્યારે થશે, તેમ માનવું જોઈએ; એ બતાવીને મોક્ષ માટે મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે, તે બતાવવા અર્થે કહે છે – ચોપાઇ :सरज्युं दीठं सघलै कहै, तो दंडादिक किम सद्दहै ? । कारणभेलीसरिजी(जि)तदीठ, कहितांविघटइनविनिजइट्ठ ।।१०५।। ગાથાર્થ :
જે રીતે સર્યું હશે=કાર્ય થવાનું સર્જાયેલું હશે, (જે રીતે કેવલીએ દીઠું છે તે રીતે થશે.) એમ ધર્મના ક્ષેત્રમાં સઘળે=બધે, કહે છે; તો ઘટનો અર્થ એવો તે દંડાદિને કેમ સહે છે? અર્થાત્ દંડાદિને ઘટના કારણરૂપે કેમ સ્વીકારે છે ? ઉત્થાન :
આના સમાધાનરૂપે પૂર્વપક્ષી કહે છે કે, કેવલીએ સર્વ કારણોથી સહિત ઘટાદિનું સર્જન જોયું છે, તેથી ઘટાદિના અર્થી એવા અમારી દંડાદિમાં પ્રવૃત્તિ અસંગત નથી. તેથી કહે છે – ગાથાર્થ :
છે. કારણ ભેલી કારણોના ભેગા થવાથી, ઘટાદિ કાર્યો સર્જિત દીઠsઘટાદિ કાર્યો સર્જિત કેવલીએ જોયાં છે, એમ કહો તો અમારું ઇષ્ટ વિઘટન પામતું નથી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org