________________
૨૦૪
तो मुक्ति पणि किम हुई ? जो अनित्य मानो तो बुद्धिविनाशई वासना किहां रहइ ? जो न रहइ तो पुनः प्रपंचोत्पत्ति किम हुई ? जो इम कहस्यो बुद्धिविनाश प्रकृतिं लीन वासना रहइ तो बुद्धिसाधनानुं स्युं काम ? प्रकृत्याश्रित ज्ञानादिगुणाविर्भावड़ ज कार्य हुस्य ।। ७६ ।।
અનુવાદ :
जो ज्ञानादि. .....માનાશ્રય છડું, - જો જ્ઞાનાદિ ધર્મના આશ્રયરૂપ બુદ્ધિ નિત્ય હોય તો તે પુરુષ જ છે, કેમ કે જ્ઞાન-ઈચ્છા-પ્રવૃત્તિ સમગેહ= સમાનાશ્રય છે. તેની જ પુષ્ટિ કરતાં કહે છે -
જ્ઞાનપ્રવૃત્તિનડું.....જીરૂ - જ્ઞાન-પ્રવૃત્તિનું વ્યધિકરણ=જ્ઞાનનું અધિકરણ જુદું અને પ્રવૃત્તિનું અધિકરણ જુદું, એમ કલ્પવું અનુચિત છે.
ભાવાર્થ :--
સાંખ્ય બુદ્ધિને જ્ઞાનાદિ ધર્મનો આશ્રય માને છે. ગ્રંથકાર તેને બે વિકલ્પો દ્વારા દોષ આપે છે. ત્યાં પ્રથમ વિકલ્પથી કહે છે કે, “બુદ્ધિ નિત્ય છે” એમ જો તું માને તો ‘બુદ્ધિ’ શબ્દથી વાચ્ય પુરુષ જ થાય છે. તેમાં યુક્તિ આપે છે કે જ્ઞાન, ઈચ્છા અને પ્રવૃત્તિનો આશય એક હોઈ શકે, જુદા હોઈ શકે નહિ. કેમ કે જ્ઞાન અને પ્રવૃત્તિ ભિન્ન આશ્રયમાં છે તેમ કલ્પવું ઉચિત નથી. કારણ કે જે જાણે છે તે જ જ્ઞાનને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે, તેવો અનુભવ છે.
સાંખ્ય જ્ઞાનનો આશ્રય બુદ્ધિ માને છે, તેથી જો તે બુદ્ધિને નિત્ય કહે તો જ્ઞાન-ઈચ્છા અને પ્રવૃત્તિના આશ્રયરૂપ તેવો પુરુષ જ ‘બુદ્ધિ’ શબ્દથી વાચ્ય બને છે. ઉત્થાન :
આ પ્રકારે બુદ્ધિને નિત્ય માનવામાં સાંખ્યને દોષ આપ્યા પછી સાંખ્ય કહે છે કે, અમે બુદ્ધિને પુરુષની ઉપાધિરૂપ માનીએ છીએ, પુરુષરૂપ માનતા નથી. તો ગ્રંથકાર કહે છે -
અનુવાદ :
તથા વૃદ્ધિ...મિ દુક્કું ? - તથા પુરુષની ઉપાધિરૂપ બુદ્ધિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org