SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ છે ત્યારે વ્યવહારમાં એમ કહેવાય છે કે અગ્નિથી માખણ પીગળ્યું છે, એ તો નિમિત્ત -નૈમિત્તિક સંબંધ છે. કર્તા-કર્મનો સંબંધ નથી. પણ શિષ્ય તો ગુરુને, સદ્ગુરુને નિમિત્ત નથી માનતો, કર્તા માને છે. સદગુરુ કર્તા નથી પણ નિમિત્ત જ છે. આ શિષ્યની સ્પષ્ટ સમજ છે, પણ ભાવનો પ્રચંડ પ્રવાહ એવો છે કે જેથી એ સદ્દગુરુમાં કર્તુત્વનું આરોપણ કરે છે. શિષ્યને સદ્દગુરુનો સ્વીકાર સ્પષ્ટ છે. સમજ સ્પષ્ટ છે. પણ એ જ્ઞાનની ધારામાં છે. બુદ્ધિના વિશ્લેષણમાં છે. જયારે ભાવની ધારામાં એનો અનુભવ જુદો છે. ત્યાં ભકિત પ્રગટ થાય છે, સમર્પણનો ભાવ પ્રગટ થાય છે, આજ્ઞાપાલનની અવસ્થા આવે છે. શિષ્ય જીવંત પ્રતિમા હોવા છતાં એ ઉપકરણ બની જાય છે. (૮) સમર્પણ એટલે શું? પોતાનું સમગ્ર અસ્તિત્વ પરમ અસ્તિત્વમાં વિલીન થઈ જાય. વ્યકિત રહે પણ વ્યક્તિત્વ નહીં. વ્યક્તિ વિરાટમાં ભળી જાય. જુદું અસ્તિત્વ ખરું પણ જુદું વ્યકિતત્વ નહીં. એ અવસ્થામાં કોનું ધ્યાન ને કોનો જપ? આ પરમ પ્રેમની અવસ્થા છે. વૈરાગ્યનું ફૂલ જ્ઞાનના છોડ ઉપર ખીલવું જોઈએ કે જે છોડે પ્રેમનો રસ પીધેલો હોય. વૈરાગ્યનો અર્થ હૃદયન્યતા કે જડતાનહીં. હૃદયની સંવેદનશીલતા જળવાવી જોઈએ. એક વખત સકલ જીવરાશી પ્રત્યે પરમ પ્રેમ અનુભવ્યા બાદ વીતરાગ દિશામાં જવાશે. પ્રેમની ઘટનામાં આયોજન નથી, પ્રયોજન નથી, પ્રાગટ્ય છે. બુદ્ધિમાં આયોજન છે, પ્રયોજન છે, ગણિત છે. હૃદયના પ્રેમમાં સ્વીકાર સાથે સમર્પણ છે. જયાં ગોઠવણ નથી, આયોજન નથી, દૈહિક સંબંધ નથી અને પદાર્થની અપેક્ષા નથી, છતાં હૃદયનો નીતરતો ભાવ એનું જ નામ પ્રેમ. બોલખાણ વગર ઓળખાણ નહીં થાય, બોલખાણ એટલે બોલે એવી ખાણ એટલે જીવંત, પ્રગટ સદ્દગુરુ १६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy