SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ કાકીની કથા તત્ત્વ નિર્ણય કરવા સાધન, શબ્દ કોનો જોઈએ? વીતરાગનો. કેમ? ત્યાં જ જ્ઞાન શુદ્ધ અવસ્થામાં છે માટે. આપણામાં રાગદ્વેષ છે તેના કારણે જ્ઞાનશકિત અશુદ્ધ છે. આ અવસ્થામાં જે અનુભવાય, દેખાય તે યથાર્થ ન હોય તેથી આપણો અનુભવ કામનો નહીં. (૬૦) તા. રર-૩-૧૯૭૮. સંઘર્ષ ત્યારે આવે છે જયારે એક બાજુ સંપૂર્ણપણે ભૌતિક ભૂમિકા ઉપર ભૌતિક પદાર્થોના અર્થે કામ કરવાનું અને સાથે સાથે આધ્યાત્મિક ભૂમિકા ઉપર ચેતના સાથેનો સંપર્ક જાળવી રાખવાનો. આમાં જીવનની કસોટી છે. શ્રદ્ધાની, જ્ઞાનની, વિચારની, સમજની, ધીરજની, નિષ્ઠાની કસોટી છે. ખરી કસોટી જીવનમાં વહેતી ધારાની છે અને તમે પોતે કઈ ધારા તરફ છો એની કસોટી છે. યથાર્થપણે સમ્યગ્રદર્શન થાય છે ત્યારે જીવનમાં બે ધારા વહેતી થાય છે. એક જ્ઞાનની ધારા અને બીજી કર્મની ધારા. સમ્યગુદર્શનમાં જે પરમતત્ત્વની અલ્પકાળ સ્વાનુભૂતિ થઈ એ અનુભૂતિ આ બે ધારા કરે છે. જ્ઞાનધારા અને કર્મધારા. જ્ઞાનધારાનો અર્થ થાય છે, સાધકની ચેતના, સાધકનો ઉપયોગ ચૈતન્ય તરફ ઢળેલો, વળેલો, વહેતો હોય. એને સ્પષ્ટપણે જડચેતનના ભેદનું તીક્ષ્ણ ભેદજ્ઞાન થયું છે, એ કારણે એના જીવનનો સમગ્ર વળાંક એ તત્ત્વતરફ હોય, પણ સાથે કર્મની ધારા પણ વહે છે. પણ સાધક કર્મની ધારાને જાણે છે, જુએ છે, એમાંથી પસાર થાય છે, પણ એમાં ભળતો નથી. જેમ કોઈ માણસ નદીના કિનારે કિનારે જોતો જોતો પસાર થાય છે પણ નદીમાં ડૂબતો નથી. એ જુએ છે, પસાર થાય છે. ખરેખર તો કર્મની ધારા સ્વાભાવિક રીતે જ વહેવાની અને એ વખતે સાધકે એ ધારાના કિનારે કિનારે વહેવાનું છે, કારણ અહીં યથાર્થ બોધ કામ કરે છે. કર્મની રચના થઈ ચૂકી છે અને એ રચના ક્રમ પ્રમાણે સામે આવવાની છે, એ રચના પણ થઈ ચૂકી છે. હવે તો એ રચનાએ પ્રગટ જ થવાનું છે. જીવનમાં ભૌતિક ક્ષેત્રમાં જે કાંઈ પણ બનાવ, પ્રસંગ, ઘટના ઘટશે, સંયોગ-વિયોગ, પ્રાપ્તિ-ત્યાગ જે કાંઈ પણ થશે એ આ રચનાના નિયમ પ્રમાણે થશે. (એમાં જ્ઞાની ફેરફાર નથી ઈચ્છતા.) ફેરફાર કરી પણ નથી શકતા, અને ફેરફાર થઈ શકતો પણ નથી. કારણ આ બધા વર્તમાન અવસ્થાના વિકલ્પો છે તે પણ અજ્ઞાન પ્રેરિત છે, મોહજનિત છે. એ વિકલ્પોની કોઈ પણ અસર રચના પર પડતી નથી. પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy