SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલી પણ જો ૪૮ મિનિટમાં એક પણ પળ ઓછી પ્રત્યાઘાત વગરની હોય અને તેમાં પ્રત્યાઘાત અર્થાત્ પ્રતિઅધ્યવસાય આપ્યો તો ફેર ચક્ર ચાલુ થાય. જ્ઞાન એક શકિત છે અને તે એ શકિત કે દ્રવ્યકર્મની સક્રિયતા વખતે તમે પ્રત્યાઘાત ન આપો એવી શકિત તે જ્ઞાન. મુશ્કેલ પરિસ્થિતિમાં માનસિક સ્વસ્થતા રહે એ ઊંડા સંતોષની લાગણી આપે છે. સાધક માટે સંસાર પોતે શાળા છે. પ્રત્યક્ષ જીવનમાં પ્રત્યક્ષ પાઠ મળે અને એમાં સાધકની ચેતના સ્થિરતા અનુભવે એ સાધનાની પરિપકવતા છે. પરમ કૃપાળુ પરમાત્મા પરમ કૃપાળુ છે; પણ સાથે સાથે પરમ વિચિત્ર પણ છે. એ એનો કૃપાપ્રસાદ જેને તેને આપતો નથી. જેને એ પ્રસાદ પ્રાપ્ત થાય છે એના જીવનમાં વિષાદ રહેતો નથી. પણ એ પ્રસાદ પ્રાપ્ત થતાં પહેલાં એ પરમ વિચિત્ર, સાધકની આકરામાં આકરી કસોટી કરે છે અને ન કલ્પી શકાય, ન વર્ણવી શકાય, ન સહી શકાય એવી પરિસ્થિતિમાં મૂકી દે છે. એક વખત તો એમ થઈ જાય, નથી જોઈતા એ પરમ કૃપાળુ. તો એ જાળવીને ખસી જાય છે. એને એટલું જ જોઈએ છે. એને ખસી જવું છે. પણ જો સાધક એ પ્રસંગમાં, એ પરિસ્થિતિમાં, એ વિષમ સંજોગોમાં અવિષમ ભાવે રહયો, અવિષમ ભાવે પરિણમ્યો, અવિષમ દશામાં રહયો, એનામાં સમતુલા રહી, વિષાદ ન સ્પર્ધો, વ્યાકુળ ન બન્યો, વ્યગ્ર ન બન્યો, નિમિત્તને આધીન ન રહયો, નિમિત્તને આધીન ન થયો, વર્તમાન ક્ષણના ઉદયમાં ન જોડાયો, મોહથી ન મૂંઝાયો, અને રાગદ્વેષ કરવા પડે; સહેજે થઈ જાય, થયા વગર ન રહે એવી પરિસ્થિતિમાં એ રાગદ્વેષથી ચેતનાને તટસ્થ રાખી શકયો, તો તો એ પરમ કૃપાળુ પ્રસાદની ધારા વરસાવે છે. સાધકને ભેટે છે અને સોડમાં લે છે, એને આલિંગન આપે છે અને આત્મસાત્ કરી લે છે. એને પ્રસાદ અર્પણ કરે છે ને તમામ વિષાદ લઈ લે છે. એ પરમ કૃપાળુની પરમ વિચિત્ર વિશેષ શૈલી છે. એનું રહસ્ય જે જાણે છે તે પામે છે. ઉદય કર્મને આધીન રહીને બનતા બનાવો ને પ્રસંગો સાધકના પરમ જાગરણ માટે છે. એ નિમિત્તોનો ઉપયોગ કરવાની કળા એ જ સાચું પરિણમેલું જ્ઞાન છે. આવા પ્રસંગોમાં સામા જીવો પ્રત્યે ઉપેક્ષાનો ભાવ ન આવે, અણગમો ન થાય, કંટાળો ન આવે. એમના પ્રત્યે સ્નેહની, વાત્સલ્યની, કરુણાની ધારા વરસે, હૃદયનો પ્રેમ નિચોવીને એમના ઉપર સિંચવામાં આવેછતાં મમત્વભાવ ઊભો ન થાય, રાગજનિત વ્યાકુળતા ન થાય, કર્તવ્ય કર્મ પૂરી તાકાતથી બજાવવા છતાં ચિત્ત રાગમાં ન ખરડાય, ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy