SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા દુઃખ આવ્યું. ભાઈશરીરમાં જયારે અસહ્ય વેદના હોય છે ત્યારે વેદક-વેદનાર જાગૃત હોય તો દુઃખની માત્રા, દુઃખનું પ્રમાણ ઘટી જાય છે. જેમ જેમ દેહ સાથે તાદાત્મ ગાઢ, એકતા બુદ્ધિ પ્રબળ, તેમ તેમ દુઃખનું પ્રમાણ વધવાનું, વેદ, વેદ્યમાં ઢળે છે તે કારણે, પણ વેદક જાગ્રત હોય તો દેહમાં દુઃખનો પ્રસંગ હોવા છતાં દુઃખની માત્રા વધતી નથી, અથવા દુઃખ વધતું નથી. શરીરની સદંતર ઉપેક્ષા ન કરવી. ઉપેક્ષા દૂર કરવી, કારણ એ સાધન છે. એના દ્વારા કામ લેવાનું છે. ચેતનાનું સ્વરૂપ તરફ લક્ષ્ય જાય એટલે એ તેમાં ઠરીને જ રહે છે. ધ્યાનસાધના નિયમિત કરવી એ પ્રારંભમાં જરૂરી છે. સ્વરૂપમાં ઠર્યા ન હોય અને ધ્યાનમાં જાગૃતિ ન રહે તો પ્રમાદના મહાસાગરમાં જ ડૂબવાનું થાય. પ્રમાદમાં જવું નથી અને ધ્યાનમાં પણ રહેવું નથી, સ્વરૂપમાં કરવું છે પણ સ્વરૂપમાં કરવા માટે પ્રમાદમાંથી બહાર નીકળી, ધ્યાનમાં રહી, સ્વરૂપમાં ઠરવાનું બનશે. શ્વાસને જોવો, પહેલું સૂત્ર અને શ્વાસને બરાબર જોયા બાદ જોનારને જોવો, આ બે જ મહત્ત્વના તબકકા છે. આ પ્રક્રિયા માટે હર પળે જાગૃતિની જરૂર છે. આ પ્રક્રિયા જ જાગૃતિ લાવશે. જાળવીને સતત પ્રયત્ન કરશો. જીવન સમગ્ર છે, અખંડ છે. જેને જીવવું છે અને સમગ્રમાં જીવવું પડશે. અખંડ બનવું પડશે. જીવનના કોઈ પાસાની ઉપેક્ષા નહીં થઈ શકે, ને જીવનના કોઈ પાસામાં આસકત નહીં બની શકાય. સમગ્ર જીવન જીવવાની આ ચાવી છે, ધર્મ જયારે એના સાચા અર્થમાં સમજાશે ત્યારે આ સમજ પ્રાપ્ત થશે, સાધના કયાંક કયાંક ખંડિત થાય છે અને સાધક સાધના કરતો હોવા છતાં વિષાદ અનુભવે છે, વિકલ્પમાં અટવાય છે. એ અટકી ને ઉભો રહે છે. કેમ આવું બને છે? એ જીવનને સમગ્રતામાં જોતો નથી, માટે એવું બને છે. જેને સ્વરૂપમાં કરવું છે એ શાંત બનતો જાય, શાંત બનતો જાય ને સંઘર્ષ ટાળતો જાય. સંઘર્ષમાં શકિતનો વ્યય થાય અને ચિત્ત ઊંડે ઊંડે તૂટેલુ, ખંડિત રહે છે અને અશાંત રહે છે. સંઘર્ષ જીવનમાંથી ટળે શી રીતે? એ માટે જીવનનો સંપૂર્ણ સ્વીકાર જોઈએ. વીતરાગ પ્રભુ મહાવીર દેવે જગતનો સ્વીકાર કર્યો. નવ તત્ત્વોની પ્રરૂપણા એટલા માટે જ કરી. તમે જયાં ઊભા છો ત્યાં આજુબાજુમાં આ બધું જ છે, હતું, હશે, રહેવાનું તમે એનો સ્વીકાર કરો છો અને સાથે સાથે એ પણ સ્વીકારો કે એ બધામાં તમે કયાંય નથી. એ એમની રીતે છે, તમે તમારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy