SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન તા. ૨૪-૭-૮૧ અંતરની સુષુપ્ત ચેતના જાગ્રત કરી તેને સંપૂર્ણ વિકસિત અવસ્થામાં ઢાળવી, એ ગંભીર અને સૂક્ષ્મ પ્રક્રિયામાં શ્રી સદ્ગુરુ પરમ નિમિત્ત છે. આ પ્રક્રિયામાં ઢળવા માટેની સંપૂર્ણ તૈયારી શિષ્ય કરવાની રહે છે. થોડાક વ્રત, થોડું વાંચન, થોડાક મંત્રજપ કે થોડું ધ્યાન એ સાધક માટે પૂરતું નથી. સાધકે એનો ઘનીભૂત થયેલો (જામેલો) અહંકાર સંપૂર્ણ ઓગાળવાનો હોય છે. પોલાદ કે લોખંડના મજબૂત ગોળા કરતાં અહંકારની ગાંઠ અનંત બળવાન હોય છે, દુર્ભેદ્યા છે. એને સંપૂર્ણ ઓગાળ્યા વગર પરમ તત્ત્વનાં દર્શન થતાં નથી. એ ઓગાળવાનું કામ શિષ્યનું નથી. શિષ્ય કરી શકે પણ નહિ. તપ, જપ, વ્રત આદિથી એ ગાંઠ ઓગળતી નથી. સપુરુષના ચરણોમાં સર્વતોભાવથી (મન, વચન, કાયાથી) સંપૂર્ણતઃ સમર્પિત થયા વિના એ ગાંઠ કદીયે કોઈ પણ રીતે ઓગળશે નહિ. શિષ્ય પાસે બીજું બધું ઘણું હશે, પણ સમ્યક પ્રકારની અર્પણવિધિ નહિ હોય તો બધું નિષ્ફળ જશે. જીવે આ નથી કર્યું. આ કરવું ગમતું નથી, આ કરવા જેવું છે, એમ માન્યું નથી, આ ટાળવા માટે બીજું બધું કર્યું છે, એના કારણે અહંકાર ગળ્યો નથી. ગુરુ જ્યારે એમની પ્રેમવર્ષા કરે છે ત્યારે પૂર્ણિમાના ચંદ્રની જેમ શિષ્યનું શિષ્યત્વ ખીલી ઊઠે છે. તા. ૫-૯-૮૧ સંવત્સરી પ્રતિક્રમણ કરતાં ૮૪ લાખ જીવયોનિમાં રહેલાં સર્વ જીવોને ખમાવતાં અમે આપને પણ ખમાવીએ છીએ. દુઃખનું મૂળ દ્વેષ છે. એમાંથી જ વેરની, વિરોધની પરંપરા જન્મે છે. હિંસાની પ્રબળ વૃત્તિ એમાંથી જ જન્મે છે અને હિંસક માનવી શાંતિ અનુભવી શકતો નથી. સંસારમાં રહેલો આ જીવાત્મા નિરંતર જ્યાં ત્યાં નાના મોટા પ્રસંગે દ્વેષ ભાવને દઢ કરતો આવ્યો છે. ધર્મપ્રાપ્તિની પહેલી નિશાની ૧૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy