SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન દૃષ્ટિ દ્રષ્ટામાં વિલય પામે ત્યારે સૃષ્ટિનો લય થાય છે. દ્રષ્ટાની દૃષ્ટિ દશ્યમાં અભેદ અનુસંધાન કરે છે, ત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. દ્રષ્ટા સૃષ્ટિ ઉત્પન્ન કરી રહ્યો છે, એનું પાલન કરી રહયો છે. એ અનંતકાળથી આ ભૂલ કરીને બેઠો છે, એને ઉત્પન્ન કરતાં આવડે છે, પાલન કરતા આવડે છે, બ્રહ્મા બન્યો છે, વિષ્ણુ બન્યો છે, પણ એને સંહાર કરતા નથી આવડતું, વિલયની કળા નથી આવડતી, એ શંકર થઈ શકતો નથી. શંકર બનીને માયાને કંકર મારી શકતો નથી. બ્રહ્મા તો દેવ છે. વિષ્ણુ પણ દેવ છે. પણ શંકર તો મહાદેવ છે. જ્યારે શંકરનું ત્રીજું લોચન ખૂલે છે ત્યારે દૃષ્ટિ દશ્યથી પાછી વળીને દ્રષ્ટા તરફ જાય છે ત્યારે સૃષ્ટિ બળે છે, એની રાખ થાય છે. એ રાખનું વિલેપન કરી એ કૈલાસ પર સ્થિર બન્યો છે, ત્યારે એની શુધ્ધ ચેતના સતી પાર્વતી એને મળે છે. હિમાલયની એ પુત્રી છે. બધા પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે જ્યાં તાપનો સંતાપ નથી. બધા ગુણોમાં વિવેક ગુણ શ્રેષ્ઠ છે, આત્મવિવેક, જડ ચેતનનો, દ્રષ્ટા દૃશ્યનો, બ્રમ માયાનો, પ્રકૃતિ પુરુષનો વિવેક તે જ હિમાલય. એની પુત્રી છે શુધ્ધ ચેતના, સતી પાર્વતી, વિવેકથી ચેતના પ્રગટ થાય છે, વૈરાગ્યથી તે શુધ્ધ થાય છે. વિવેકની પુત્રી, વૈરાગે શુધ્ધ કરેલી, શુધ્ધ ચેતનાને મહાદેવ ગમે છે. શંકર જ ગમે છે, કારણ શંકર સંહાર કરી શકે છે, એની પાસે ત્રીજું લોચન છે, એ સૃષ્ટિનો સંહારક બને છે. આ કાર્ય મુશ્કેલ છે. બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન કરે પણ સંહારનું કાર્ય એમને હલાહલ વિષપાન જેવું લાગે છે, કાલકુટ ઝેર પીવા જેવું લાગે છે, એ વિષપાન કોણ કરે? દૃષ્ટિને દશ્યથી દ્રષ્ટા તરફ વાળવી એ કાર્ય આજે હલાહલ ઝેર પીવા જેવું થઈ પડયું છે, એ વિષનું પાન શંકરે કર્યું. ઘેલી દુનિયા રાગને અમૃત માને છે. વેરાગ્યને હલાહલ વિષ માને છે. ત્રીજું લોચન સમ્યગુ દર્શન ઉઘડયું છે જેનું, તે રાગને હલાહલ ઝેર માને છે ને વેરાગ્યને અમૃત માને છે. વેરાગ્યરૂપ અમૃતપાનને જગત વિષપાન સમજે છે. રાગના ઝેરનું પાન તેને અમૃતપાન માને છે. શંકર હલાહલ ઝેરનું પાન કરે છે તો જ તે સૃષ્ટિનો સંહાર કરી શકે છે. સમ્યગદર્શન રૂ૫ લોચને દ્રષ્ટા દેખાય છે. એ જોતાં સૃષ્ટિની ભ્રાંતિ ટળે છે, દષ્ટિ દશ્યના રાગવાળી મટીને દ્રષ્ટાના પ્રેમવાળી બને છે. દશ્યના રાગવાળી દષ્ટિ ૧૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy