SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ “ઋણ સ્વીકાર” શ્રી પૂજાભાઈનો જન્મ ઈસન્ડ ગામે તા. ૧-૧-૧૯૭૮ ના રોજ માતુશ્રી જડીબાની કુખેથી થયો. તેઓ કેવળ બે જ વર્ષના થયા ત્યારે તેમના પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો. તેમના ઉછેરની જવાબદારી માતુશ્રી ઉપર આવી. ઓછું ભણેલા પણ ઉચ્ચ સંસ્કારી અને ધાર્મિક એવા જડીબાએ પૂજાભાઈને ઊંચા સંસ્કાર તો આપ્યા છે. ઉપરાંત પરમાત્મામાં શ્રદ્ધા, ભક્તિ અને રુચિ ઉપજે તેવા ઉત્તમ વાતાવરણમાં તેમનો ઉછેર કર્યો, ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. તેના પરિણામે સતત સ્મીત વેરતા પૂજાભાઈ ગ્રેડ વન ઓફીસર બન્યા. ૧૫ વર્ષની વયે જ્ઞાતિ રિવાજ પ્રમાણે તેમના લગ્ન શ્રી હીરાબેન સાથે થયાં. તેના પરિણામે તેમના સંસારમાં ત્રણ પુત્રો શ્રી ગુણવંતભાઈ, શ્રી મહેશભાઈ, શ્રી ગૌતમભાઈ અને એક પુત્રી શ્રી લક્ષ્મીબેન એમ ચાર સંતાનોનો પ્રવેશ થયો. વીસ વર્ષ પહેલાં શ્રી પૂજાભાઈ અમેરિકા ગયા, ત્યાં સ્થિર થયા અને પરમાત્મકૃપાએ સારું એવું કમાયા. એમનો સમગ્ર પરિવાર પણ અમેરિકામાં સ્થિર થયો. પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજમાં તેઓ, શ્રીમતી હિરાબહેન અને એમનો સમસ્ત પરિવાર અત્યંત શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે. પૂ. ગુરુજી અમેરિકા ગયા ત્યારે શ્રી પૂજાભાઈએ સપરિવાર તેમનો મહત્તમ લાભ તો લીધો જ, ઉપરાંત દર વર્ષે ભારતમાં - વતનમાં આવે ત્યારે આ પ્રસન્ન વદન દંપતિ ઘણો સમય પૂ. ગુરુજીના સાનિધ્યમાં ગાળી, પૂ. ગુરુજીની અમૃત વાણીનો લાભ લઈ, ધર્મલાભ પામી, પોતાના જીવનને સાર્થક બનાવે છે. ધર્મપ્રેમી, આતિથ્ય પ્રેમી એવા શ્રી પૂજાભાઈ અને શ્રીમતી હીરાબેન તથા તેમના પુત્ર શ્રી ગૌતમભાઈ તથા પુત્રવધુ કૈલાસબેને પૂ. ગુરુજી પ્રત્યેની ભક્તિના કારણે આ પુસ્તક પ્રકાશનમાં સહયોગ આપ્યો. એ બદલ અમે તેમના આભારી છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy