SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૪) ભાગવતનો સંદેશ હોય તો કોઈ પણ ઇંદ્રિય કામ કરી શકે નહિ. પણ આનું સંચાલન કરનાર પણ જોઇએ, એ છે આત્મા. એ અંદરના ઉપકરણ મન વડે સંચાલન કરે છે. આ તમામનું સંયોજન થવું જોઈએ, તેમનામાં સંવાદિતા સધાવી જોઇએ, તાલમેલ મળવો જોઇએ. એમ થાય તો આત્માનું સંચાલન રહે. ન થાય તો આત્માના પ્રતિનિધિ, આત્માના અનુચર એવા મનનું સંચાલન રહે મન માલિક થઈ જાય અને તેને પરિણામે દેહ, મન, પ્રાણ જુદું જુદું કામ કરે જે વ્યવસ્થિત હોઈ શકે નહિ. આજે માનવ જીવન આ રીતે વ્યતીત થઈ રહ્યું છે. યોગ-સંવાદિતા-જીવનમાં લાવવી પડશે કપિલજી મા દેવહુતિજીને કહે છે : “મા, યોગની પદ્ધતિ માણસે અખત્યાર કરવી જોઇએ, તો સંવાદિતા સધાય અને આત્મ કલ્યાણના માર્ગ તરફ પ્રયાણ થાય. માણસની સામે વસ્તુ, વ્યક્તિ, સંયોગ અને વિકલ્પ હોય છે. જેટલી વસ્તુ તેટલા વિચારો આવે છે. પડોશીના ઘરમાં જે જોશો તે મેળવવાના વિચારો આવશે. ધ્યાન કરવા બેસીએ ત્યારે આ વિચારો આડા આવે છે. આ બહારના આધાત અને પ્રત્યાઘાતોને ટાળવા સંવાદિતા સાધવી પડશે. પરપીડન યોગ ઉપર માઠી અસર કરે છે બીજાને પીડા આપવીતે, જ્યાં જાવ ત્યાં આડું આવીને અવરોધ ઉત્પન્ન કરે છે. બગીચામાં જ્યારે માળી કુહાડો કે ધારીયું લઈને આવે છે ત્યારે છોડવૃક્ષ પૂજે છે, દુઃખી થાય છે. પણ જ્યારે તે ખાતર અને પાણી લઈને આવે છે ત્યારે છોડ-વૃક્ષરાજીપો અનુભવે છે. એવી જ રીતે માણસ પોતાના જીવનમાં જે કાંઈ કરશે તેની અસર પડતી હોય છે. અને તેથી જ કોઈને કટુ વચન કહ્યાં, પીડા આપી તેની અસર ધ્યાન કરતી વખતે આડી આવે છે. માટે મન, વચન, શરીરથી કોઈને દુઃખ ન આપશો, કટુવચન કોઈને કહેશો નહિ, કોઈને છેતરશો નહિ. જેને દુઃખ થાય છે, છેતરાય છે તેના તરફથી વિરોધના આંદોલનો વહેતા થાય છે, તે કરનારને અવરોધ કરે છે. અને પીડા ભોગવનાર, છેતરાઈ જનાર તે કરનારને તેવી જ રીતે સતત યાદ કરતો રહે છે. તેની અસર કરનારના મન ઉપર પડે છે અને મનની અસર ઇન્દ્રિયો તથા શરીર ઉપર ઊતરે છે. આ પ્રત્યાઘાત જીવન ઉપર, ધ્યાન-યોગ ઉપર માઠી અસર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy