SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૨) ભાગવતનો સંદેશ એક સરસ કહેવત છેઃ ‘કાણાને કાણો નવ કહીએ, કહીએ મીઠા વેણ ધીરે રહીને પૂછીએ શીદ ગુમાવ્યા નેણ.’ એ પણ વિચારો કે કોયલ કોને આપે છે અને કાગડો કોનું લે છે મીઠા બોલી કોયલ કોઈને કાંઈ આપતી નથી છતાં પ્રિય છે. કર્કશ વાણી બોલતો કાગડો કોઈનું લેતો નથી છતાં અપ્રિય છે. શરીરથી પણ કોઈને ત્રાસ ન આપો. ચાવી ટાઇટ કરવી એટલે બીજાને ઉશ્કેરવાનું કામ એ ઘણું થાય છે. કૈકેયીને ઉશ્કેરનારી મંથરા માત્ર રામાયણ કાળમાં જ હતી તેવું નથી. એ આજે પણ ઘર ઘરમાં છે. પત્ની પતિને સાસુ વિરુદ્ધ, પડોશી પડોશીની અને મિત્ર મિત્રની વિરુદ્ધ ચડાવે છે. આને લોકભાષામાં સળગાવવાનું કામ કહેવાય છે. આવું કરનાર માણસો ધ્યાન કરે તે નાટક છે. તેમનાથી ધ્યાન થઈ શકે જ નહિ. પરહિત સમ ધર્મ નહિ ભાઈ શું હિંદુ, મુસ્લીમ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી એ ધર્મ છે?ના એ ધર્મ નથી. ધર્મ તો એક અવસ્થા છે. સંત તુલસીદાસે કહ્યું : “ પરહિત સમ ધર્મ નહિ ભાઈ.’ બીજાનું ભલું કરવું, શાતા આપવી એ ધર્મ છે. વળી એ એમણે કહ્યું: ‘પર પીડન સમ નહિ અધમાઈ.’ પારકાને પીડા આપવી એના જેવો બીજો કોઈ અધર્મ નથી. જે માણસ ઉત્તમ જીવન જીવવા ઇચ્છે છે, આત્મ સાધના જેને કરવી છે એ બીજાને પીડા આપવાનો વિચાર પણ ન કરે આત્મા સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા આપણી આજુ બાજુની પ્રાણીસૃષ્ટિ, જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ પ્રત્યે તાલમેલ કરો. એટલે કે તેમના પ્રત્યે અહિંસા, પ્રેમ, કરુણા, દયા, સેવા, પરોપકાર, સહકાર અને સહાનુભૂતિ હોય. મુનિ શ્રી ભાનવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy