SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) દેવહુતિની જિજ્ઞાસા આત્મજ્ઞાનને પાત્ર દેવહુતિ” જેમણે ધોર તપસ્યા કરી છે તેવા કર્દમજીનાં પત્ની છે દેવહુતિ. તેમનામાં તત્ત્વને જાણવાની અદ્ભુત તાલાવેલી પ્રગટી છે અને લેશમાત્ર પણ અહમ્ તેમનામાં રહ્યો નથી. તેથી જ સામે ગુરુસ્થાને તેમનો પુત્ર હોવા છતાં તેમના મનમાં કોઈ વિકલ્પ ઊઠતો નથી. શિષ્યમાં મત-મતાંતર, માન્યતા, ખ્યાલો, શ્રવણ કરેલાનો સંગ્રહ પડેલો હોય, ત્યાં સુધી તેનો અહંકાર તેને જ્ઞાન પ્રાપ્તિ કરવામાં અવરોધ કરે છે. અહંકાર ગુરુ-શિષ્ય વચ્ચે તાલમેલ (ટ્યુનીંગ) થવા દેતો નથી. અહીં માતા દેવહુતિમાં સહેજે પણ અહંકાર રહ્યો નથી. એમણે જ્ઞાની પુત્ર આગળ પોતાની જાત જેવી છે તેવી ખુલ્લી કરી દીધી છે. એ અત્યાર સુધી ભલે આત્મજ્ઞાન પામ્યાં ન હતા. પણ સંતકર્દમ ઋષિ (તેમના પતિ) પાસે તેઓ રહ્યાં હતાં તેથી જ્ઞાન પ્રાપ્તિ માટેની અગાઉની ભૂમિકા પસાર કરી ગયા હતાં. સદ્ગુરુ પાસે આત્મનિવેદન કરો - “હે પ્રભુ, મારાથી મન, વચન અને શરીરથી પાપો-થયાં હોય તેમાંથી હું પાછો ફરું છું અને સદ્ગુરુ પાસે એ તમામનું આત્મનિવેદન કરું છું.'' પ્રતિક્રમણ કરતાં પહેલાં જૈન પરંપરામાં શ્રાવક ઉપર પ્રમાણે બોલે છે, પછી તેને અનુસરે છે અને શુદ્ધ થાય છે. ને તે જ્ઞાન પામે છે. શિષ્ય-સાધકને જેવું બોલતાં આવડે તેવી ભાષામાં સદ્ગુરુ પાસે આત્મનિવેદન કરે તો સાધનામાં પ્રગતિ સાધી શકે. પછી સદ્ગુરુ પણ શિષ્યની વર્તમાન અવસ્થા જાણીને તેના માટે જે ઉપયોગી હોય તે જ કહે છે. પરિણામે શિષ્યને માટે ગુરુવચન હિતકર્તા બને છે. કપિલજીએ માતાની અવસ્થા જાણી તેમને યોગ્ય બોધ આપ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy