SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) પ્રકૃતિનો ક્ષય કરવાની રીત પ્રકૃતિના કારણે પરમાત્મા મળતા નથી ભાગવતે અલગ અલગ દૃષ્ટિકોણથી સંદેશ આપ્યો છે. ચિંતન, ધ્યાન, ભક્તિ, કર્મ એવા અસંખ્ય પ્રકારોથી સંદેશ આપ્યો છે. એમ કરવાનું એ કારણ હતું કે પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિ જુદી જુદી છે. આ પ્રકૃતિ એટલે કુદરત નહિ, સ્વભાવ પણ નહિ પણ સત્ત્વ, રજ અને તમ એ પ્રકૃતિ છે. તમસના વશમાં રહી, મન વચન અને કાયાથી માણસ જે જે કિયાઓ કરે તે અશુભ હોય છે. મેલા વિચારો ત્યારે હોય છે. એ વિચારો સાથે અસંખ્ય ક્રિયાઓ કરી તે ટેવ બની અંતરમાં જામી ગઈ, સંસ્કાર બની ગઈ છે. જેમકે બ્રહ્મની વાત કરતાં કરતાં સીગરેટ, ચલમ, બીડી પીવાય છે. આ ટેવનું જામી પડેલું સ્વરૂપ છે. નાના બાળકને હાથ-પગ હલાવતાં, ખાતાં-પીતાં કોઈ શીખવતું નથી પરંતુ વારંવાર એકની એક યિા કરવાના કારણે તે કરે છે. એવી જ રીતે માણસે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ-દ્વેષ કરીને પોતાના મન ઉપર તેના સંસ્કાર પાડ્યા છે. માણસે પ્રકૃતિને એવી તો દઢ કરી છે કે તે આત્માનું એક અંગ બની ગઈ છે. અને આ પ્રકૃતિ મૃત્યુ પછી પણ માણસ સાથે લઈ જાય છે. પછી બીજું શરીર તેને મળે છે તેમાં પણ તેની સાથે જ રહે છે. અને પરમાત્મ પ્રાપ્તિમાં સતત અવરોધ કરતી રહે છે. ખરેખર તો પરમાત્મા મળવામાં કોઈ અવરોધ નથી. એ એટલો નજીક છે કે સરળતાથી મળી શકે છે. પણ પ્રકૃતિ આડે આવે છે તેથી તે મેળવી શકાતા નથી. પ્રકૃતિ આત્મા ઉપર છવાઈ જાય છે ભાગવત કહે છે તમારું તમામ બળ વાપરીને તમે પ્રકૃતિની ઉપર ઊઠો. માણસ થોડીક સાધના કરીને પ્રકૃતિની ઉપર તો ઊઠે છે પણ જેમ ગુરુત્વાકર્ષણ તમામ વસ્તુઓને પૃથ્વી તરફ ખેંચે છે તેમ પ્રકૃતિ માણસને પોતાના તરફ ખેંચે છે. માણસ અઢળક કર્મકાંડ તો કરે છે, તેનાથી તેને પુણ્ય મળે છે પણ પ્રકૃતિ બદલાતી નથી. પ્રકૃતિ બદલવા એ કશું નથી કરતો. જેમ વેલ વૃક્ષનો સહારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy