SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) (પરમ ચેતના કરુણાવશ થઈ અવતરણ કરે છે) સાચી સમજ નથી તેથી જીવદુઃખી છે મિત્રેયીજી અને વિદુરજીનો જ્ઞાનમય વાર્તાલાપ ચાલી રહ્યો છે. ગંભીર અને આધ્યાત્મિક વાતો એમણે કરી છે. એમણે આ વિશ્વમાં મોટા પ્રમાણમાં જીવોને દુખી જ જોયા છે. માણસો તો ઠીક પણ કલ્પવૃક્ષ જેમની પાસે છે તે દેવો પણ સુખી નથી. રાજા-મહારાજઓ અને મોટા સંપત્તિવાનો પણ સુખી નથી. તેનું મુખ્ય કારણ એ જણાયું છે કે સુખ-દુઃખ વિષેની તેમની સમજણ કાચી છે. જો તેમને સાચી સમજ મળે તો તેમના દુઃખનાં કારણો દૂર થાય અને સુખનાં કારણો મળે જગતના જીવોનું અજ્ઞાન દૂર કરવા તેઓ આવ્યા છે - ૧૬ વર્ષના રામજી-વિશિષ્ટજી સાથે ગહનતત્ત્વ ચર્ચા કરે છે. તેના ઉપરથી ‘યોગવાશિષ્ઠ’ એ નામનો અમૂલ્ય ગ્રંથ તૈયાર થયો. એમાં સુખ-દુઃખની વાતો પણ છે. રામજી અવતારી પુરુષ છે અને વશિષ્ઠજી પરમાત્માનુભવી જ્ઞાની પુરુષ છે. એમણે કરવાનું કશું બાકી નથી રહ્યું. વાસનાઓ માટે, માયા, આસક્તિ, મોહ માટે તેમનો જન્મ નથી થયો. પણ કરુણાનો એક પ્રવાહ તેમના હૃદયમાં વહી રહ્યો છે, જે જીવ માત્રના કલ્યાણ માટે, તેમના ઉપર કોઇ દબાણ નહીં હોવા છતાં જગતમાં સ્વેચ્છાએ આવ્યા છે. તેમનામાં મોહ નથી અને અજ્ઞાન પણ નથી. જગતના પ્રાણીઓનું અજ્ઞાન-દુઃખ-દૂર કરવા તે આવ્યા છે. જીવ માત્રનું કલ્યાણ તેઓ ઈચ્છે છે ‘પરમાર્થ વ્યસન તેમને છે. વ્યસન માટે માણસ બધું જ કરી છૂટે છે. એ અર્થમાં તેઓ પ્રાણી માત્રના કલ્યાણ-હિત માટે બધી જ રીતનો પ્રયાસ કરે છે. પરહિત કરવાનો પરમ ઉત્કૃષ્ટ રસતેમનામાં છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું: ‘સર્વ ભૂત હિતે રતા પ્રમાણે સર્વનું હિત તેઓ ઇચ્છે છે અને તે માટે પ્રયત્ન કરે છે. માટે જ “પરમ ચેતનામાં ‘પરમ વીતરાગતા સર્વ કાળે છે. જ્યાં સંપૂર્ણ વીતરાગતા હોય છે ત્યાં ‘સર્વજ્ઞતા આવે છે. તેમને જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy