SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) (૯૦ મનને પ્રભુમાં લીન કરો) સમજ્યા વિના માણસ અનંતવાર મર્યો છે ઊંચું આઈ ક્યુ લેવલ ધરાવનાર માણસની આંતરિક શુદ્ધિ થયેલી ન હોય તો તે અધ્યાત્મ જ્ઞાન પામી શકતો નથી. આંતરિક શુદ્ધિ પામેલ વ્યક્તિ સૂક્ષ્મ બુદ્ધિ ધરાવતો હોય તો જ અધ્યાત્મ જ્ઞાન પામી શકે છે. આ બે વાનાં હોય તે જ વ્યક્તિનું અંદરથી પરિવર્તન થઇ શકે છે. ભાગવત કથા કહેતાં કહેતાં શુકદેવજી રાજા પરીક્ષિતને સાધનાની, અંતઃકરણ શુદ્ધિની વાત કરે છે. વળી કહે છે : “રાજા, તમે મૃત્યુનો ભય છોડી, શ્રવણ કરીને એ જ્ઞાન પામો અને મૃત્યુને આવકારો. પછી જેમ શરીર ઉપરથી સાપ કાંચળી છોડે છે, અને છોડ્યા પછી પાછું વળીને જોતો નથી તેમ તમે તમારા શરીરને છોડજો અને શરીર તરફ, સંસાર તરફ જોશો નહિ.' આનંદધનજી કહે છે: “આપણે અનંતવાર મર્યા છીએ. એ પણ સમજ્યા વિના, શરીર અને આત્માને છૂટા પાડ્યા વિના, પ્રકૃતિ અને પુરુષને અલગ કર્યા સિવાય મર્યા છીએ.’ એટલે જ પુનરપિ જન્મમ્ પુનરપિ મરણમ્ થયા જ કર્યું છે. એ ચકમાંથી છૂટવું જ હોય તો જ્ઞાનની પ્રાપ્તિ કરવી પડે. પ્રભુમાં લીન થયેલું મન રહેતું જ નથી શુદ્ધ થયેલા મનને પરમાત્મામાં એવું તો તલ્લીન કરો કે તે સંસાર તરફ સહેજ પણ પાછું ન આવે, ન વળીને જુવે બસ એ અખંડ પણે તેમાં જ રહે. જ્ઞાન વાર્તા સાંભળતાં-સાંભળતાં, સાધના કરતાં-કરતાં ક્યારેક તેનો દોર તૂટે છે, અને વિષયોનું ચિંતન થાય છે ત્યારે ભગવાન ભૂલાય છે. આમ ન થાય તે માટે સતત જાગૃત રહેવું જોઇએ. જેમ આકાશમાંથી વર્ષાનું પાણી નદી કે સાગરમાં પડતાં જ વિલીન થઈ જાય છે, તેમ તમારા મનને પરમાત્મામાં લીન કરશો તો તે પાછું નહિ આવે. કારણ પછી તો મન જ નથી રહેતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy