SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) ભાગવતનો સંદેશ શાંત અને પ્રસન્ન હતા. પાંડવોની વિરહ વ્યથા યુદ્ધ પછી પરીક્ષિતનો રાજયાભિષેક કરીને પાંડવો હિમાલયમાં હાડ ગાળી દેહ વિસર્જન માટે નીકળવાના હતા. તેથી તેમને ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ થવાનો હતો. ભગવાનની આંખોથી અળગા થવાની દરેક પાંડવને વ્યથા હતી. પાણી વિના તડપતી માછલીની જેમ તેઓ તડપતા હતા. પ્રભુના વિરહની એમને બહુ જ વેદના હતી. અર્જુનનો રથ હાંકતી વખતે, તેની સાથે ફરતી વખતે, સાથે કોઈ પણ કામ કરતી વખતે ભગવાન નજીક હોવાં છતાં તેમને અર્જુન પૂરે પૂરા ઓળખી શક્યો ન હતો. છતાં ભગવાને તેની સાથે અભિન્ન હૃદય રાખીને અત્યંત પ્રેમ ભર્યો વ્યવહાર રાખ્યો હતો. રક્ષણ કરવાવાળા શક્તિમાન રક્ષક પણ હતા. આવા શ્રીકૃષ્ણનો વિરહ થવાનો હતો તેની વ્યથા પાંચે પાંડવોને હતી. આવા દયે તેઓએ પરીક્ષિતનો રાજ્યાભિષેક કરીને હાડ ગાળવા જવાનું હતું. ધૃતરાષ્ટ્રનો દંભ પ્રકૃતિને અધીન થવું તે પરતંત્રતા છે. અને પ્રકૃતિ જેને સ્વાધીન છે તે તેની સ્વતંત્રતા છે. મહાભારત કાળમાં ભૌતિક વિકાસ હતો પણ પરિણામ યુદ્ધનું આવ્યું તેથી ભારે નિરાશા આવેલી હતી. વિદુરજી અને ઉદ્ધવજીએ આ ચિત્ર સ્પષ્ટ જોયેલું. એમણે ધૃતરાષ્ટ્રને, દુર્યોધનને કહેલું પણ ખરું. પરંતુ એમની વાત દુર્યોધને તોનમાની, અને ધૃતરાષ્ટ્ર પુત્રમોહમાં અંધ-બધીર બનીને નહોતી માની. જો એણે માની હોત. તો મહાભારત જુદું જ હોત. આ ભયંકર માણસ જબરજસ્ત હિંસા માટે, મહા અન્યાય માટે સૌથી મોટો ગુનેગાર હતો. એ મોહગ્રસ્ત હતો ને અભિનેતા પણ હતો. એ પલાયનવાદી હતો ને દંભી પણ હતો. જેમ મુંબઇમાં સંખ્યા બંધ વિસ્ફોટો કરીને ઘણા માનવીઓની હત્યા કરીને આતંકવાદીઓ છટકી ગયા તે પલાયનવાદ હતો તેમ પાંડવોનું દુઃખ જોઈને ધૃતરાષ્ટ્રનું રડવું એ તેનો પલાયનવાદ હતો, દંભ હતો. કારણ એ પાંડવોને સોય જેટલી જમીન પણ આપવાના મતનો ન હતો. એક બાજુ, પોતાના દુષ્ટ પુત્રોનું, અન્યાયથી પચાવી પાડેલા પાંડવોના રાજ્યના ધનથી રાજવી રીતથી પાલનપોષણ કરતો હતો તો, બીજી બાજુ પાંડવોના પક્ષે ન્યાય હતો ને કાતિલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy