SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૨૧૧) સશાસ્ત્ર છે. અને હિંસા, અસત્યાચરણ કરવાથી પણ મોક્ષ મળે એવું કહેનાર અસશાસ્ત્ર છે. સશાસ્ત્ર પ્રત્યે માણસ અંતરમાં શ્રદ્ધા રાખે. જેમ સોય હાથમાંથી નીચે કચરામાં પડી જાય તો ન જડે પણ જો સોયમાં દોરો પરોવેલા હોય તો જડી જાય છે. એવી જ રીતે મનને સશાસ્ત્રમાં પરોવેલું રાખો. અને તેનું પરમ શ્રદ્ધાપૂર્વક શ્રવણ, મનન નિદિધ્યાસન કરીને પરામર્શ કરો. અન્ય શાસ્ત્રોની નિંદા, ટીકા, ટિપ્પણ નહિ કરવી. જો કરશો તો મન અશુદ્ધ બનશે. જે કરો તે પરમાત્માને અર્પણ કરી જે ક્યિા કરવી જ પડે તે કરવી, પણ તે તમામ ક્યિા તમે પરમાત્માને અર્પણ કરો. હવે વિચારો કે પરમાત્માને આપવાની ક્યિા કેવી કરવી જોઇએ? ઉત્તમ જ કરવી જોઇએ ને? પહેલાં આવો નિર્ણય કરો પછી શ્રેષ્ઠ રીતે ક્રિયા કરીને તે પ્રભુને–પરમાત્માને અર્પણ કરો. - ઘરમાં મા એકલી જ હોય તો ઠંડી રોટલીથી તે ચલાવી લે છે પણ જો દીકરા-દીકરી, વહુ, પતિ હોય તો તે સંપૂર્ણ રસોઈ બનાવે છે, શ્રેષ્ઠ રીતે સારું ભોજન બનાવે છે. એવી જ રીતે પરમાત્માને અર્પણ કરવાની ક્યિા, વ્યવહાર પરમાર્થ તમામ ક્યિા શ્રેષ્ઠ રીતે કરવી. જે પોતાને અત્યંત પ્રિય હોય અને સારું હોય તે જ પરમાત્માને અર્પણ કરાય. આમ કરવા પાછળ સમર્પણનો એક ભાવ છે. એટલે જ પરમાત્માને પ્રસાદ ધરાવ્યા પછી તમે એકલા નથી ખાતા પણ બધાને વહેંચો છો. છેલ્લે જે રહે છે તે તમે લ્યો છે. સકળ સુખશ્રીહરિના ચરણે પરમાત્મા જેનો પ્રાણ છે તેને મન તો સકળ સુખ શ્રી હરિના ચરણે એવો ભાવ જ હોય છે. ભગવાન જ તેનો એક માત્ર આધાર હોય છે અને ભગવાનનું પ્રગટ સ્વરૂપ એવા સંતનો સત્સંગ કરે છે. આવા ભાવવાળા માણસો સાથે જ તેને મિત્રતા હોય છે. જેમના ભવનો અંત આવી ગયો છે તેવા સંત તમને મળે તો તેમની નિરંતર સેવા કરજો અને પરમાત્માને સતત હૃદયમાં રાખી સામાન્ય માણસની સેવા કરજો. આ જ છે માયામુક્તિનું સાધન, મોક્ષનું સાધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy