SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૦) ભાગવતનો સદેશ સહનશીલતા મોટું તપ છે જીવનમાં ગમતાં-નગમતાં બનાવો, પ્રસંગો આવ્યા જ કરતા હોય છે. હર્ષ અને શોકના પ્રસંગો તેમાં હોય છે. મહાભારત કહે છે : “શોકના પ્રસંગો હજારો આવે છે, હર્ષના ઓછા આવે છે. તે વખતે મન વ્યાકુળ ન થાય તેવી સમજણ કેળવવી, સહનશીલતા કેળવવી. માણસે એ જોવા જેવું છે કે પૃથ્વી કેટલું બધું સહન કરે છે. તેની જેમ માણસ સહન કરે. પછી પરિસ્થિતિ ગમે તેવી હોય. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોમાં મન ગમો કે અણગમોન કરે, ઉદ્વિગ્ન નબને, હર્ષના આવેશમાં ન આવે. ટીવીમાં મન હતું તેથી પરીક્ષાના પરિણામમાં ઓછા ટકા આવ્યા તેથી પિતાએ ઠપકો આપ્યો. પુત્ર સહન કરી શક્યો અને તેણે આપઘાત કર્યો. આવી વાતો પેપરમાં આપણે વાંચીએ છીએ. માણસની સહન કરવાની ક્ષમતા દિવસે દિવસે ઓછી થતી જાય છે. તેથી આવું જોવા મળે છે. પણ જો સમજણ કેળવાય તો શાંતિપૂર્વક સહન કરવાની ટેવ પડે છે. સહનશીલતાએ તપ છે. સુખ અને દુઃખ, હર્ષ અને શોક, ગમો અને અણગમો, ઠંડી અને ગરમી, જીવન અને મૃત્યુ એ તંદ્ર છે. એ સહન કરવાં એ તપ છે. એના. જેવું મોટું તપ બીજું નથી. તપથી મન શાંત થાય મનોવૈજ્ઞાનિકો કહે છે કે ધરતી ઉપર એવો કોઈ પણ માણસ નહિ હોય જેણે જીવનમાં એકાદ વખત પણ મરવાનો વિચારન આવ્યો હોય. માંદો માણસ ઉપવાસ કરે એ તપ નથી. સ્વસ્થતા હોય, સહનશીલતા હોય, સાથે સમજણ હોય એ તપ છે. આવા તપથી મન શાંત બને છે. કોઇનો દ્રોહ ન કરવો, દગોન કરવો, વિશ્વાસ ભંગ ન કરવો. થાય એટલી બીજાની સેવા કરવી પણ દુઃખ કોઈને પણ ન જ આપવું. એવું જીવન જીવાય તો મન શાંત બને છે. પ્રકૃતિ નિયમાનુસાર કામ કરે છે મનને ઉત્તેજિત ન થવા દેવું. જીવનમાં બધું જ મન ગમતું થાય તેવી કોઈ પણ ખાત્રી ભગવાને નથી આપી. તેથી સદા ગમતું જ નથી બનતું અને અણગમતું બનતું રોકી નથી શકાતું. ગમો-અણગમો, હર્ષ-શોક એ કાંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy