SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ (પપ) મન શાંત કરો ) દંભીને અનુભવનો આનંદ નથી મળતો નવ પરમહંસો અને નિમી રાજા વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. રાજાએ પ્રશ્ન ર્યો: ‘જેમણે સત્સંગ કર્યો છે, પરમ તત્ત્વને જાણે છે, સત્યનો ભણકારા સાંભળ્યો છે તેમને ભાગે હવે એક જ કામ બાકી રહ્યું છે, તે છે તત્ત્વને જાણીને અનુભવવાનું. પરંતુ જો માયાનો અંશમાત્ર અંધકાર રહી જાય તો તેની અનુભૂતિ ન થઈ શકે. એને માયાને તરવાના માટે શું કરવું? એક પરમહંસે કહ્યું માયાના બંધનોમાંથી પૂર્ણ રૂપે મુક્ત ન થયેલ હોય તેવા દંભી લોકો પણ તત્ત્વની વાતો કરતા હોય છે. તેમની વાતોમાં માત્ર શબ્દ જ્ઞાન જ હોય છે પણ પ્રક્યિામાં કાંઈ નથી હોતું. અનુભવનો આલાદ, પરમ આનંદ તેમની પાસે નથી. ધ્યાનથી મોહ તૂટે છે ખરેખર તો મનમાં રહેલ મોહના ગઢમાં તેની સાધનાએ, તેના તત્ત્વ ચિંતને કેટલાં ગાબડા પાડ્યાં તે જોવાનું રહે. મોહનો કિલ્લો એમને એમ રહ્યો હોય, અંદરથી મોહ તૂટ્યો ન હોય ત્યાં સુધી તેણે કરેલી સાધના સારા પ્રમાણમાં ફળી ન કહેવાય. તત્ત્વ ચિંતન કાયાવિત થયું ન કહેવાય. મોહ અંદરથી તૂટે તો જ તેની શક્તિ ક્ષીણ થાય અને તે જાય. આ પ્રક્રિયા ધ્યાન દ્વારા જ થાય છે. મનને તાલમાં લાવવું પડે સાંભળવું ઘણું સહેલું છે. કલાકો સુધી સાંભળી શકાય. પણ એક જ કલાક સતત ધ્યાન કરવાનું હોય તો મન સ્થિર નથી રહેતું. ત્યારે વારંવાર ઘડિયાળ સામું જોવાઈ જાય છે. જેમ વાવણી કરીને અનાજ બરાબર ઉત્પન્ન કરવું હોય તો સમયસર ખેતરને ખેડીને, કાંટા, કાંકરા, નિંદામણ કાઢીને તાલમાં લાવવું પડે, તેમ જ પરમાત્મ તત્ત્વની અનુભૂતિ કરવી હોય તો પ્રથમ જીવનને અને મનને તાલમાં લાવવાં પડે. તેમાં રહેલા દોષો વિકારોને વીણી વીણીને કાઢવા પડે. તાલમાં લાવેલી જમીનમાં બીજ વાવી, પાણી પાઇ, વાડ કરીને સતત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy