SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧) ( સથુરુ શરણ માયાનું હરણ ) ઠંદ્ર કરનાર સાધનાન કરી શકે હર્ષ-શોક એ કંઠ છે. એ કરનાર માણસ ભક્તિ, ધ્યાન ન કરી શકે. જ્ઞાનોપાસનાન કરી શકે. ધ્યાન-ભક્તિ-જ્ઞાનએ સ્વાભાવિક અને સહેલા પણ છે. કેમ કે જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. પરંતુ ધ્યાન કરવા બેસો ત્યારે, ધ્યાન નહોતા કરતા ત્યારે જે જે ક્યું તે સામે આવે છે. તેથી અનેક વિકલ્પોથાય છે. વિકલ્પો માણસ સતત કરતો હોય છે. પશુઓમાં વિકલ્પ કરવાની વ્યવસ્થા નથી અને ધ્યાન કરવાની ક્ષમતા પણ નથી. માણસ ધ્યાન કરતી વખતે વિકલ્પ ન પડે તેવું ઇચ્છે છે પણ એ થઈ શકતું નથી. વસ્તુને પુદ્ગલ સ્વરૂપમાં જ જુઓ વસ્તુને પુગલ (જડ) સ્વરૂપમાં જ જુઓ, એ પદાર્થ માત્ર જ છે. માટે રૂપું સોનું, રૂપું, પિત્તળ, ત્રાંબુ, લાકડું, વૃક્ષ, ફરનીચર, દાગીના એમ નજુઓ એ માત્ર પુદ્ગલ-મેટર-છે તેમ જ જાણો. જ્ઞાની જગતને આ રીતે જ જુએ છે. ફક્ત ચોખામાંથી એક બહેને પચીસ વાનગીઓ બનાવી હતી. દરેકના જુદા સ્વાદ અને રંગ હતા. ખાંડ એક જ તેમાંથી અનેક વાનગીઓ બને છે. પિતા ખાંડના ઘણા રમકડાં લાવ્યા, છોકરાં ઘણા હતાં દરેકને બધી જાતનાં રમકડાં જોઈતાં હતાં તેનો ઝગડો થયો. પિતાએ બધાં જ રમકડાં પાણીમાં નાખી ઓગાળી નાખ્યા અને દરેક બાળકને એક એક પ્યાલો ભરીને આપ્યો. આમ કરવાથી ઝઘડો જ ન રહ્યો. નામ-રૂપની કલ્પનામાં જ બધા ઝઘડા છે. માટે અખંડ (સમગ્રતાથી) જ જુઓ. વિશ્વને અખંડિતતામાં જુવો સમગ્ર વિશ્વને અખંડિતતામાં જુવો જો તેમ જોશો તો તેમાં માયા, સુખદુઃખ નહિ જોવાય. એ રીતે જોનારો સુખી રહે છે અને તેને દુઃખમાં રામ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy