SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ભાગવતનો સંદેશ ત્યારે “ભગવદ્ પરાયણ રહેવું. સંજોગો ગમે તેવા હોય પણ ત્યારે ચિત્તમન- ભગવાનમાં જ રમમાણ રાખવું. અપેક્ષા વિના જીવન જીવો પરમાત્મા સિવાય બીજા કોઈનો પણ આધાર ન લેવો કારણ એવો આધાર લેવાથી તમારા ઉપર તેની સત્તા ચાલશે. માટે સૌ પ્રથમ તો સમતાથી જીવો કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના જીવો. અને વિવેકપૂર્વકનું જ વર્તન રાખો. જો આ ત્રણ વાનાં સિદ્ધ ક્યાં હશે તો એકાન્તમાં રહેવાની ક્ષમતા તમારામાં આવશે જ. એક બીજી વાત એ ધ્યાનમાં લ્યો કે તમે બાળક જેવા સહજ બનો. બાળક ક્યારે ય પણ અસામાન્ય, અસહજ નથી બનતું એ સહજ જ હોય છે. બ્રહ્મવિચાર કરો ખંડિત અને વિભાવગ્રસ્ત મન વિક્ષિપ્ત હોય છે. એ વિચારશક્તિ ગુમાવે છે. એવા મનની શરીર ઉપર પણ વિપરીત અસર થાય છે. મનને ખંડિત નહિ થવા દેવા માટે હર સ્થિતિમાં શાંત રહીને બ્રહ્મ વિચાર કરવો. સર્વ પ્રાણીઓના હિતનો જ વિચાર કરવો અને એવું જીવવું. અશાંત મન, ખંડિત મન હોય ત્યારે જીવનમાં મળતાં સુખો એટલા સમય માટે માણસ ખોઈ નાખે છે. જેમ કે ઘરમાં સારો પ્રસંગ હોય જમણવાર રાખ્યો હોય પણ ત્યારે કોઇ અશાંત બની ઝઘડો કરે તો સુંદર ભોજન રખડી પડે છે. અશાંત બનેલા પપ્પા પાસે તેનો વહાલો બાળક પણ નથી જતો. આથી જ વેદ વ્યાસજીએ મહાભારતમાં કહ્યું છે તેમ અશાંતસ્યકુતઃ સુખમ્.’ અશાંત માણસને સુખ કેવી રીતે મળે? જ ભકિત માર્ગના જીવો માટે મંત્ર, જપ, 5)) સ્તોત્ર પાઠ અને નામ સંકીર્તન એ આલંબનો જ છે. વિધિ-નિષેધો જે ધર્મશાસ્ત્રમાં વર્ણવ્યા છે તે સાવ ખરા છે. જો તેને ન સ્વીકારાય તો સ્વચ્છંદતા પોષાય. મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy