SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) સમત્વ કેળવો માર્ગદર્શન આપનાર પાસે જ સાચો માર્ગ નથી સંસારના વિષયો, ભોગ અને પરિગ્રહમાં સંસારના માણસો આસક્ત છે. એમાં એક ટકો એવા માણસો છે જેઓ સંસારમાં હોવા છતાં, ભોગમાં હોવા છતાં, સાચા માર્ગની, સંસારમાંથી અને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિની ખોજમાં છે. મુક્તિનો માર્ગ અને એનું માર્ગદર્શન આપનાર એમને મળ્યાનથી એ એમની મુશ્કેલી છે. વળી એ જગતમાં જુએ છે કે કેટલાક માણસો માર્ગદર્શન આપવાનો દાવો કરે છે. અને ઝનૂનથી કહે છે કે અમારી પાસે જ આવો કેમ કે અમારી પાસે જ સાચો માર્ગ છે.’ પણ આ લોકો સાચો માર્ગ જાણતા નથી, છતાં તેમની જાળમાં ઘણા માણસો ફસાતા હોય છે. સુખ મુક્તિમાર્ગનો અવરોધક છે ભરતજી જ્ઞાની છે, સાચા માર્ગદર્શક છે. તેઓ રાજા રહૂગણને કહે છે : મુક્તિના માર્ગમાં ઘણા અવરોધો છે, વિઘ્નો છે. તેમાંથી પસાર થવાનું છે. તેમાં સૌથી પહેલું વિન સુખ છે. માણસ સુખ મેળવવા દોડે છે. એને સુખ જ જોઇએ છે. દુઃખ નથી જોઇતું તેથી એ સુખ માટે મથે છે. ખરેખર તો સુખ પરમાર્થ માર્ગમાં મુખ્ય અંતરાય છે, કેમ કે મોટા ભાગના માણસોમાં વિવેક નથી હોતો તેથી સુખના સમયે આસક્તિ, મમત્વ, રાગ, પ્રમાદ, દર્પ અને અહંકાર વધે છે. માણસને દુઃખમાં પરમાત્મા યાદ આવે છે પણ સુખમાં તો એને સોની જ યાદ આવે છે. પૈસા પાત્ર માણસો ધરેણાં શોધે છે. ધરેણું મેળવે છે, મળ્યથી તેના તરફની તેની આસક્તિ વધે છે. એ સાધનામાં બાધક છે. ધરેણાંમાં તકલીફ નથી પણ તેને સુખનું સાધન બનાવ્યું તેમાં તકલીફ છે. જેમ રસ્તે ચાલતાં કાદવ આવે તો તેમાં પગલું મૂકીને ચાલવું તકલીફવાળું બને છે. ઊંડે સુધી કાદવ હોય તો તેમાં ખૂંપી જવાય છે. એવી જ રીતે માણસ સુખમાં ઊંડો ખૂંપી જાય છે, તેથી તેનું મન સુખમાં જ રોકાય છે. અને મન તો કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy