SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ - - (૧૩૦) ભાગવતતો સદેશ બાર વર્ષ બાળપણમાં ગાળી પછીના બાર વર્ષ કુમારાવસ્થામાં ગાળે છે. પછી આવે છે તેનામાં યુવાવસ્થાનું માદકપણું. એ અવસ્થામાં પણ તેને ધર્મ યાદ નથી આવતો. એ પછી આવે વૃદ્ધાવસ્થા, ત્યારે એના બધાં જ અંગો શિથિલ થઈ ગયા હોય ત્યારે તેને ધર્મ કરવાનો વિચાર આવે છે. હવે કહો એ ત્યારે કેવો ધર્મ કરે? ત્યારે એનામાં આસનની સ્થિરતા ન હોય તેથી સૂતા સૂતા ધ્યાન કરે તો ઊંધે જ ને. ત્યારે ચાલવાની શક્તિ ન હોય તેથી મંદિર, તીર્થ, આશ્રમમાં પણ જઈ ન શકે એટલે ઘરમાં જ પડ્યો રહે ને! રજોગુણનાં લક્ષણો રજોગુણી માણસ કળકરીને બેસે જ નહિ. એ કંઇકને કંઇક પ્રવૃત્તિ ક્ય જ કરતો હોય. એ અમસ્તો પણ પોતાનું શરીર હલાવ્યા જ કરતો હોય છે. કશુંક કરવું તેવો તેનામાં ભાવ હોય છે. આવો ચંચળ માણસ ધ્યાનમાં સ્થિર બેસી શકતો નથી. અડતાલીસ મિનિટનું ધ્યાન એને અડતાલીસ દિવસ જેવડું લાંબુ લાગે છે. હિંસા, લોભ એ તેનાં લક્ષણો છે. સત્ત્વગુણથી ધ્યાનમાં જવાય સત્ત્વગુણ પહેલાં બે ગુણ કરતાં ઉત્તમ છે. અહીં જ્ઞાન છે, દાન, ક્ષમા અને ઉદારતા પણ તેમાં છે. આ ગુણથી ધ્યાનમાં જઈ શકે. અને ધ્યાનમાં ગયા પછી આ ગુણ પણ જાય ત્યારે પ્રકૃતિની સત્તા ચાલી જાય અને આત્માની (તમારી) સત્તા આવી જાય. ખરી વાત આવી છે માટે જ મન ઉપર કાબૂ હોવો જોઇએ. જેના ઉપર અંકુશ હોય એ જ સાધન બરાબર સારી રીતે વાપરી શકાય. જેમકે કાર ચલાવતા હોતો સ્ટીયરીંગ, એકસી લેટર, બ્રેક ઉપર તમારો કાબૂ હોવો તો જ કાર સારી રીતે ચલાવી શકાય. મન એક શક્તિશાળી સાધન મન પ્રચંડ શક્તિવાળું સાધન છે. આત્મા કરતાં ઓછી પણ બીજા ક્રમે તેનામાં શક્તિ છે. મન બંધન અને મોક્ષનું કારણ છે. નરક, સ્વર્ગ કે મોક્ષમાં લઈ જવાની તેનામાં ક્ષમતા છે. આત્મા, મન, પ્રાણ, ઇન્દ્રિયો, શરીર એકમે તેમનામાં ઘટતી શક્તિ હોય છે. મન ઉપર કાબૂ આવતાં એ શક્તિ ઉત્તરોત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy