SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૪) ભાગવતો સંદેશ ધીરજથી ભોગવવાનું છે. જે ભોગવવાનું છે, જ્યારે ભોગવવાનું છે જે સંયોગોમાં ભોગવવાનું છે. તેમાં કશો જ ફેરફાર થતો નથી. તેની પસંદગી માણસ કરી શક્તો નથી. એટલે કે જેની સાથે જીવન જીવવાનું છે તેની સાથે જ જીવવું પડે. તેમાં માણસની આનાકાની ચાલે નહિ. માણસ કહે કે આની સાથે મેળ નહિ પડે એ વાત ચાલે નહિ ખરી વાત આવી છે. માટે માણસ ધારે તે કરી શકે તેવું વિચારી તાનમાં આવવું નહિ, પણ તેમાં મેળ પાડે, કર્મ તંત્રનો વિરોધ ન કરે. સમત્વથી જીવે. આસક્તિ ચોંટે નહિ તેમ ભરતજી જીવતા હતા ભરતજીને હરણનું શરીર છોડી બીજો જન્મ, માનવ દેહ મળ્યો. બહુ ઊંચી સમજ, બુદ્ધિ હતી, આગળના જન્મોનું જ્ઞાન હતું પરંતુ સહેજે પણ, અંશ માત્ર પણ આસક્તિ ચોટે નહિ તેવી જાગૃતિથી જીવવા તે જડની જેમ જીવતા હતા. કુટુંબ, ઘર, ગામ, ખાવું, પીવું એ તમામથી એ અલિપ્ત રહીને જીવતા હતા. ઘરની સ્ત્રીઓ તેમને ઢગલો કામ સોંપતી, તેમના પતિઓને પણ આમને કામ આપવા કહેતી. આ જડને કામ સોંપો એમ કહેતી. અરે, રાત્રે પણ, કડકડતી ઠંડીમાં પણ ખેતરમાં કામે ભરતજીને જવું પડતું. સ્વીકાર ત્યાં સમાધાન છે રાજા રહૂગણને સત્તાનો, બળનો, ધનનો અહમ્ થયો હતો. એ મદમાં એને ભરતજી જેવા જ્ઞાની પુરુષની ઓળખન થઈ અને પોતાની પાલખી એમની પાસે ઉપડાવી, ત્યારે ભરતજી જે સહજ અવસ્થામાં જીવતા હતા તે પ્રમાણે પ્રતિકાર કર્યા વિના પાલખી ઉપાડી. નદીના પાણીની જેમ વહેતા હતા-વર્તતા હતા. થોડીવાર પછી મસ્તક કપાવાનું છે તે જાણીને પણ તેઓડરતા નથી, થર થરતા નથી પણ તેનો સ્વીકાર કરે છે. સ્વીકાર છે ત્યાં સમાધાન છે અને સમાધાન છે ત્યાં શાંતિ છે. પરંતુ પ્રતિકાર છે ત્યાં વિરોધ છે, સંઘર્ષ છે, અસમાધાન છે, અશાંતિ છે. ભાવતંત્રફેરવી શકાય છે ચૈતન્યમાં શુભ અને અશુભ ભાવો છે. બેમાંથી એક સતત વહેતો રહે - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy