________________
૮૪].
ચોથા ગણધરનો વાદ. [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સ્થાણુ અને પુરૂષનું દૃષ્ટાંત અસિદ્ધ માનતો હોય, તો તે અયોગ્ય છે, કેમકે સ્થાણુ-પુરૂષાદિ સર્વ ભાવોને તું સામાન્યથી અવિદ્યમાન માને છે, એટલે સર્વ ભાવોના અભાવમાં સંશયનો પણ અભાવ જ થાય. ૧૬૯૭ થી ૧૭૦૧.
સ્વપ્રમાં તો પૂર્વ અણદિ નિમિત્તથી સંદેહ થાય છે, તેથી સ્વપ્રના નિમિત્તો અને સ્વપ્ર એ બે વસ્તુની સિદ્ધિ કરતાં કહે છે કે :
सब्वाभावेऽवि मई संदेहो सुमिणए ब्ब, नो तं च । जं सरणाइनिमित्तो सिमिणो न उ सब्बहाभावो ॥१७०२।। ૩મૂ-ફિફ્ટ-ચિતિ-સુર્ય-પથવિચાર-તેવા-ડબૂથ सिमिणस्स निमित्ताइं पुण्णं पाव च नाभावो ।।१७०३॥ विण्णाणमयत्तणओ घडविण्णाणं व सुमिणओ भावो ।
अहवा विहियनिमित्तो घडो ब नेमित्तियत्ताओ ॥१७०४॥ સ્વપ્રમાં (વસ્તુનો) સર્વથા અભાવ છતાં પણ સંદેહ થાય છે, એમ કહેતો હોય, તો તે અયોગ્ય છે, કારણ કે સ્મરણાદિના નિમિત્તથી તે થાય છે, પણ સર્વથા તેનો અભાવ નથી. પૂર્વાનુભવ, જોએલું, ચિંતવેલ, શ્રવણ, પ્રકૃતિ-વિકાર, દેવતા, સજળ પ્રદેશ, પુન્ય અને પાપ એ સર્વ સ્વપનાં નિમિત્તો છે, માટે સર્વથા તેનો અભાવ નથી. અથવા ઘટના જ્ઞાનની જેમ સ્વપ્ર વિજ્ઞાનમય હોવાથી ભાવરૂપ છે, અથવા કહેલા નિમિત્તોથી તે ઘટની જેમ નિમિત્તવાળું છે, માટે તે ભાવરૂપ છે. ૧૭૦ર થી ૧૭૦૪.
પ્રશ્ન :- “સ્વપ્નમાં વસ્તુનો સર્વથા અભાવ છતાં પણ સંશય થાય છે. જેમ કે કોઈ નિર્ધન પામર મનુષ્ય સ્વપ્રમાં પોતાના ગૃહના આંગણામાં આ હસ્તી છે, કે પર્વત છે ? આમ સંશય કરે છે, એમાં વસ્તુતઃ કંઈ નથી, છતાં પણ એવો સંશય થાય છે, તેમ અન્યત્ર પણ વસ્તુના અભાવમાં સંશય થઈ શકે. - ઉત્તર - સ્વપ્રમાં જે સંદેહ થાય છે, તે પૂર્વે જોએલ અથવા અનુભવેલ કે અનુભવનું સ્મરણ એ આદિ નિમિત્તથી થાય છે, પણ સર્વથા વસ્તુના અભાવથી નથી થતો, જો સર્વથા વસ્તુના અભાવથી પણ સંશય-સંદેહ થતો હોય, તો છઠું ભૂત વિગેરે જે કદી પણ નથી હોતું તેમાં પણ સંદેહ થવો જોઈએ, કારણ ઉભય અભાવ સમાન છે.
વળી સ્વપ્ર નિમત્ત સિવાય થતું નથી, સ્વપ્ર થવામાં અનેક નિમિત્તો છે, તેમાંના કેટલાંક આ પ્રમાણે છે. સ્નાન-ભોજન-વિલેપન વગેરે પૂર્વે અનુભવેલ વસ્તુ સ્વપ્રમાં જણાય, તે સ્વપ્ર અનુભૂત નિમિત્તવાળું કહેવાય. હાથી-ઘોડા વગેરે પૂર્વે જોએલ વસ્તુ સ્વપ્રમાં જણાય, તે દષ્ટાર્થ નિમિત્તવાળું સ્વપ્ર કહેવાય. સ્ત્રીની પ્રાપ્તિ વગેરે જણાય, તે ચિત્તિતાર્થ નિમિત્તવાળું સ્વપ્ર કહેવાય. સ્વર્ગ-નરક વગેરે સાંભળેલી વસ્તુ જણાય, તે કૃતાર્થ નિમિત્ત સ્વપ્ર કહેવાય વાયુ-પિત્ત વગેરેથી થયેલ પ્રકૃતિના વિકારથી સ્વપ્ર થાય, તે પ્રકૃતિસ્વપ્ર કહેવાય, વિકાર નિમિત્ત અનુકૂળ અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org