SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮] હેતુની અનેકાન્તિકસિદ્ધિ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે, તેવી રીતે ગ્રહણ કરનાર પણ તેના અનુગ્રહથી સ્વતઃ ફળ પામે છે. અપહરણ કરનાર પાપી પણ અપહરણના પરિણામથી દૂષિત થયો થકો બાહ્યહેતુની અપેક્ષાએ પાપ પામે છે, તેથી તેને તે ફળ થાય છે. જેમ દાનના પરિણામથી તેનું ફળ સ્વાયત્ત છે, તેમ અહીં પણ પોતાના પરિણામથી જિન અને સિદ્ધની પૂજાનું ફળ સ્વયં સિદ્ધ છે. દાનાદિકની જેમ જિનપૂજા પરિણામની વિશુદ્ધિનો હેતુ હોવાથી હંમેશા કરવી જોઇએ. અથવા ધર્મકથનની જેમ જિનાદિકની પૂજા મોક્ષમાર્ગની પ્રભાવક હોવાથી હંમેશાં કરવી જોઇએ. ૩૨૩૬ થી ૩૨૪૭. હવે “કોપ અને પ્રસાદરહિત હોવાથી' એ હેતુની અનેકાન્તિકતા અને વિરૂદ્ધતાને સિદ્ધ કરે છે ઃ कोव - प्पसायरहियं पि दीसए फलदमण्ण-पाणाई । कोव - प्पसायरहियं-ति निष्फलं तो अणेगंतो || ३२४८ || कोवाविरहियं चिय सव्वं जमणुग्गहोवघायाय । दीस तेण विरुद्धं फलमिह कोव - प्पसायाओ || ३२४९|| हरणप्पयाणहेऊ हवेज्ज कोवादओ मई तं पि । सकयं चि भणियं निमित्तमेत्तं परो नवरं ।। ३२५० ।। जड़वा न सकयहेउं तं तो कोव प्पसायं राया । સોસસેવાળ સમાગતો તૂં ન મવે ? ||રૂરશી दीसह य विसमफलदो विफलो य समाणसेवयाणं पि । भय सुकपुणो तो से रायप्पसाउ त्ति ।। ३२५२|| Jain Education International कोवप्पसायहेउं च जं फलं नहि तदत्थमारंभी । न परप्पसायणत्थं च किन्तु निययप्पसायत्थं ॥३२५३॥ धम्मा-ऽधम्मा न परप्पसाय- कोवाणुवत्तिओ जम्हा । तो न परो त्ति पसण्णो धम्मो कुविउ त्ति वाऽधम्मो || ३२५४ ॥ ગાથાર્થ :- કોપ અને પ્રસાદરહિત અન્ન-પાનાદિ વસ્તુ પણ ફળદાયી જણાય છે. તેથી “કોપપ્રસાદરહિત વસ્તુ નિષ્ફળ છે' એ હેતુ અનેકાન્તિક છે. વળી આકાશ-અન્નપાન-અમૃત-વિષચિન્તામણિ વગેરે સર્વ વસ્તુ કોપાદિરહિત છતાં પણ અનુગ્રહ અને ઉપઘાત માટે જણાય છે. તેથી કોપ અને પ્રસાદથી જે ફળ અહીં કહ્યું તે વિરુદ્ધ છે. કોપ વગેરે અપહરણ અને પ્રદાનના હેતુભૂત થાય છે.એમ કહેવામાં આવે, તો તે પણ સ્વકૃત પુન્ય -પાપનું જ ફળ છે, એમ પૂર્વે કહેલું છે; બીજા તો એમાં નિમિત્ત માત્ર છે. જો તે અપહરણ-પ્રદાનાદિ સ્વકૃત હેતુવાળા ન માનીએ, તો તે કોપ અને પ્રસાદવાન રાજા સર્વ સેવકોને સમાન ફળ આપનારો કેમ ન થાય ? પરન્તુ સમાન સેવકોને પણ તે વિષમ ફળ આપનાર અથવા નિષ્ફળ થાય છે, તેથી એમ કહેવાય છે કે આ આત્માએ સારી રીતે પુન્ય કર્યું હોવાથી તેના પર રાજાની મહેરબાની છે કોપ-પ્રસાદના હેતુવાળું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy