________________
૩૨૪] આર્યરતિસૂરિનું કથાનક. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પણ આ પ્રમાણે જો સ્ત્રાર્થની વિસ્મૃતિ થાય, તો પછી બીજાઓને પણ સૂત્રો યાદ રાખવા મુશ્કેલ થશે. એમ વિચારીને પૂર્વે કહ્યા મુજબ જુદાજુદા અનુયોગની વ્યવસ્થા કરી અને નયોને પ્રાયઃ ગુપ્ત રાખ્યા, એટલે નયની વ્યાખ્યાનો વિભાગ બંધ કર્યો. અન્યદા આર્યરક્ષિતસૂરિ મ. વિહાર કરતા અનુક્રમે મથુરા નગરીમાં આવીને ભૂતગુફામાં વ્યત્તરના ગૃહની અંદર રહ્યા
એ દરમ્યાન મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામિ પાસે નિગોદનું સ્વરૂપ સાંભળીને વિસ્મય થયેલા ઈન્દ્ર ભગવંતને પૂછયું હે પ્રભો ! સૂક્ષ્મનિગોદનું સ્વરૂપ આપશ્રીએ ફરમાવ્યું તેવું જ સ્વરૂપ પ્રરૂપનારા કોઈ વ્યક્તિ વર્તમાન સમયે ભરત ક્ષેત્રમાં છે? ભગવને ઉત્તરમાં કહ્યું કે દેવેન્દ્ર !
એ જ પ્રમાણે જાણીને પ્રરૂપનારા વર્તમાનકાળમાં આર્યરક્ષિતસૂરિ વિદ્યમાન છે. એ સાંભળીને વિસ્મય-કૌતુક અને ભક્તિથી પૂર્ણ ચિત્તવાળા ઈન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને, જ્યારે બીજા સર્વ સાધુઓ ભિક્ષા માટે ગયા, ત્યારે આર્યરક્ષિતસૂરિ પાસે આવીને પૂછયું હે ભગવન્! મને મહાનું વ્યાધિ થયો છે, તેથી હવે અનશન કરવાની ઈચ્છા રાખું છું, તો કૃપા કરીને જણાવશો કે મારું આયુષ્ય કેટલું અવશેષ છે? આથી યવિકોમાં આયુશ્રેણિમાં ઉપયોગ આપીને આચાર્યશ્રીએ જાણ્યું કે આ મનુષ્ય નથી, કોઈ વ્યંતરાદિદેવ પણ નથી, પરંતુ બે સાગરોપમની આયુસ્થિતિવાળો સૌધર્માધિપતિ ઈન્દ્ર છે; તે પછી આચાર્યશ્રીએ વૃદ્ધાવસ્થાથી નીચે પડતી તેની ભ્રકુટી ઉંચી કરીને કહ્યું કે અરે ! તમે તો ઈન્દ્ર છો.
આથી પ્રસન્ન થયેલા ઈન્દ્ર સીમંધરસ્વામી પાસે બનેલી સર્વ હકીકત જણાવી અને નિગોદના જીવોનું સ્વરૂપ પૂછ્યું એટલે આચાર્યશ્રીએ પણ વિસ્તારથી નિગોદનું યથાર્થ સ્વરૂપ કહ્યું. તેથી અતિપ્રસન્ન થયેલા ઈન્દ્ર નમસ્કાર કરીને કહ્યું હે પ્રભો ! આપે કહ્યું તેવું જ સ્વરૂપ શ્રી સીમંધરસ્વામિએ કહ્યું હતું હવે હું જાઉં છું. આચાર્યશ્રીએ કહ્યું-દેવેન્દ્ર ! સાધુઓ આવે ત્યાં સુધી થોડીવાર ઉભા રહો, કારણ કે તેઓ તમને જોઇને તથા “ઈન્દ્રનું આગમન આવા કાળમાં પણ થાય છે.” એમ જાણીને સ્થિરતા પામશે, ઇન્દ્ર કહ્યું-ભગવંત ! અસ્તુ એમ કરીશ, પરંતુ મારૂં સ્વાભાવિક સ્વરૂપ જોઇને હિનસત્ત્વવાળા તેઓ નિયાણું કરશે તો ? સૂરિએ કહ્યું તમારૂં તે કહેવું સત્ય છે, તેથી તમે જાતે અહીં ન રહેતાં તમારા આગમનનું કોઈ ચિન્હ કરી જાઓ. આથી ઇંન્દ્ર તે ઉપાશ્રયનું બારણું જે દિશામાં હતું, ત્યાંથી ફેરવીને બીજી દિશા તરફ કર્યું અને પછી પોતાના સ્થાનકે ગયા. ઇન્દ્રના ગયા બાદ ગોચરીથી પાછા ફરેલા સાધુઓ ઉપાશ્રયનું બારણું અન્ય દિશામાં જોઇને વિસ્મય પામ્યા, તે સંબંધી ગુરૂશ્રીને પૂછતાં ગુરૂએ સર્વ વ્યતિકર તેઓને કહી સંભળાવ્યો. તે પછી ત્યાંથી નીકળીને કેટલાક દિવસ વિહાર કરી પરિવાર સહિત આચાર્યશ્રી દશપુરનગરમાં પાછા આવ્યા.
આચાર્યશ્રીનાં ગયા બાદ મથુરાનગરીમાં “માતા-પિતાદિ પણ નથી” ઇત્યાદિ પ્રરૂપણા કરનાર મહાનાસ્તિક ઉત્પન્ન થયો, તે વખતે ત્યાં તેનો કોઈ પ્રતિવાદી ન હતો, એથી ત્યાંના શ્રીસંઘે તે વખતના યુગપ્રધાન શ્રી આર્યરક્ષિતસૂરિ પાસે કેટલાક સાધુ-સમુદાયને તે બનાવ જણાવવાને મોકલ્યો. સાધુઓએ દશપુરનગરમાં આવીને આચાર્યશ્રીને સર્વ હકીકત જણાવી, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org