________________
ભાષાંતર ]
બહુબહુવિધાદિ ભેદોમાં સામાન્યોપયોગની સત્તા.
[૩૦૩
અન્ય અર્થમાં ઉપયુક્ત મન જો અન્ય અર્થમાં ઉપયોગ પામે, તો પછી અન્ય મનસ્ક એવી વ્યક્તિ આગળ ઉભેલા હાથીને પણ કેમ જાણી શકતી નથી ? વળી એક અર્થના ઉપયોગ કાળે બીજો ઉપયોગ પણ જો પ્રાપ્ત થતો હોય, તો બે ક્રિયાના ઉપયોગનો જ નિયમ શા માટે ? તથા પ્રતિવસ્તુગત અસંખ્યાતા અથવા અનંતા ઉપયોગ પણ એકીવખતે કેમ ન પ્રાપ્ત થાય ? પૂર્વે સૂત્રમાં અવગ્રહાદિના બહુ-બહુવિધાદિ ભેદનાં ગ્રહણમાં ઉપયોગની બહુલતા કહેલ છે, (એમ કહેવામાં આવે, તો) તેમાં અનેકપર્યાયોનું સામાન્યરૂપે ગ્રહણ થાય છે, પણ ઉપયોગો અનેક નથી; વળી એમ કહેવામાં આવે કે અનેક વિષયો ગ્રહણ કરવામાં જો દોષ નથી, તો પછી શીત અને ઉષ્ણ એ બે વિષય ગ્રહણ કરવામાં શો દોષ છે ? ઉત્તર - એ પ્રમાણે ગ્રહણ કરવામાં કોણ દોષ કહે છે ? અહીં બે ઉપયોગનો વિચાર પ્રસ્તુત છે; (એટલે એક જ સમયે બે ઉપયોગ ન હોય એમ અમે કહીએ છીએ.) ૨૪૩૬ થી ૨૪૩૯.
એક જ સમયે શીતવેદનાદિ એક અર્થમાં ઉપયોગવાળું ચિત્ત, જો ઉષ્ણવેદનાદિ બીજા અર્થમાં ઉપયુક્ત થતું હોય, તો કોઇ વ્યક્તિ જ્યારે કોઇ અન્ય અર્થમાં ઉપયોગવાળો હોય, ત્યારે તે પોતાની સન્મુખ રહેલા હાથી આદિ વસ્તુને પણ કેમ નથી જોઇ શકતો ? તેનું કારણ એ જ છે કે તે વ્યક્તિ તે વખતે અન્ય અર્થમાં ઉપયોગવાળો હોવાથી તેનું મન તે વખતે સન્મુખ રહેલા પદાર્થને પણ ગ્રહણ કરી શકતું નથી.
વળી જો એક અર્થના ઉપયોગ કાળે અન્ય અર્થનો ઉપયોગ માનવામાં આવે, તો પછી ત્યાં બે ક્રિયારૂપ ઉપયોગનો જ નિયમ શા માટે હોવો જોઇએ ? તથા પ્રત્યેક વસ્તુગત અસંખ્યાત અથવા અનંતા ઉપયોગ પણ કેમ પ્રાપ્ત ન થાય ? આગમમાં કહ્યું છે કે દ્રવ્યથી અસંખ્યાત અથવા સંખ્યાતગુણા પર્યાય ગ્રહણ કરે .’” અવધિજ્ઞાની એક પદાર્થમાં વધારેમાં વધારે એકીસાથે અસંખ્યાતા પર્યાયને પામે છે અને કેવલજ્ઞાનીઓ અનંતા પર્યાયને પણ પામે છે.
-
પૂર્વે અવગ્રહાદિનું સ્વરૂપ કથન કરતાં. એકેકની અંદર બહુ-બહુવિધાદિ અનેક ગ્રહણ કહેલાં છે, તદનુસા૨ે પ્રતિવસ્તુગત અસંખ્યાતા અથવા અનંતા ઉપયોગ માનવામાં શી હરકત છે ? આમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે ત્યાં બહુ-બહુવિધાદિરૂપ વસ્તુના પર્યાયોની સામાન્યરૂપે જ્ઞાનમાં ઉપયોગની યોગ્યતા માત્ર કહેલ છે, પણ એક વસ્તુમાં એક કાળે અનેક ઉપયોગ છે. એવું ક્યાંય કહ્યું નથી, કેમકે ઉપયોગ તો અનુક્રમે જ થાય છે.
જો એકીસાથે અનેક અર્થ ગ્રહણ કરવામાં કોઇ દોષ આવતો નથી, તો પછી એકીસાથે શીત અને ઉષ્ણ પદાર્થ ગ્રહણ કરવામાં શો દોષ છે ? કે જેથી તમે તેનો નિષેધ કરો છો ? જો એમ કહેવામાં આવે, તો તે અમારા કથનનો ભાવાર્થ સમજ્યા જ નથી. એકીસાથે અનેક અર્થગ્રહણ કરવામાં કોઇ દોષ નથી, કેમકે સામાન્યપણે એકીસાથે સેના-વન-ગામ-નગર આદિ પદાર્થો ગ્રહણ થાય છે, એમાં અમે કોઇ પ્રકારનો નિષેધ નથી કરતા, પણ અમે તો એકીવખતે અનેક ઉપયોગનો નિષેધ કરીએ છીએ. કેમકે એક વખતે એક ઉપયોગ કરતાં વધારે ઉપયોગ કદી હોઇ શકે નહિ. ૨૪૩૬ થી ૨૪૩૯.
હવે એકીસાથે અનેક અર્થનું ગ્રહણ માનવા છતાં એક-અનેક ઉપયોગનો ભેદ શો છે ? તેનો ઉત્તર આપતા જણાવે છે કે ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org