________________
प्रतिष्ठादिक ना मुहू
( ૨૧ )
બુધવારે ધનિષ્ઠા, આશ્લેષા, રેવતી, અશ્વિની, ભરણી, શતભિષા, ચિત્રા અથવા મૂલ નક્ષત્ર હોય, તથા ત્રીજ, આઠમ, તેરસ, પડવો, ચૌદશ અથવા નવમી તિથિ હોય તો અશુભ યોગ થાય છે ૪૮
गुरुवारे शुभयोग
—
गुरौ पुष्याश्विन्यादित्य-पूर्वाश्लेषाश्च वासवम् ।
पौष्णं स्वातित्रयं सिद्ध्यै पूर्णाश्चैकादशी तथा ॥ ४९||
ગુરુવારે પુષ્ય, અશ્વિની, પુનર્વસુ, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, આશ્લેષા, ધનિષ્ઠા, રેવતી, સ્વાતિ, વિશાખા અથવા અનુરાધા નક્ષત્ર હોય, તથા પાંચમ, દશમ, પૂર્ણિમા અથવા અગિયારસ તિથિ હોય તો શુભ યોગ થાય છે જા ગુરુવારે અશુમવોશ-~~
न गुरौ वारुणाग्नेय - चतुष्कार्यमणद्वयम् ।
ज्येष्ठा भूत्यै तथा भद्रा तुर्या षष्ठ्यष्टमी तिथिः ||५०||
ગુરુવારે શતભિષા, કૃત્તિકા, રોહિણી, મૃગશિર, આર્દ્રા, ઉત્તરાફાલ્ગુની, હસ્ત અથવા જ્યેષ્ઠા નક્ષત્ર હોય, તથા બીજ, સાતમ, બારસ, ચોથ, છઠ, અથવા આઠમ તિથિ હોય તો અશુભ યોગ થાય છે ।।પના
શુક્રવારે શુભયોગ---
शुक्रे पौष्णाश्विनाषाढा मैत्रं मार्गं श्रुतिद्वयम् ।
यौनादित्ये करो नन्दा - त्रयोदश्यौ च सिद्धये ॥५१||
શુક્રવારે રેવતી, અશ્વિની, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અનુરાધા, મૃગશિર, શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાફાલ્ગુની, પુનર્વસુ અથવા હસ્ત નક્ષત્ર હોય, તથા એકમ, છઠ, અગિયારસ અને તેરસ તિથિ હોય તો શુભ યોગ થાય છે ।।૫ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org