________________
('૬૦ )
वास्तुसारे તેમના તીર્થમાં વરુણ નામનો યક્ષ છે, તે ચાર મુખવાળો, પ્રત્યેક મુખ્ય ત્રણ ત્રણ નેત્રવાળા, સફેદ વર્ણવાળો, બળદની સવારી કરનારો, માથા ઉપર જટાના મુકુટવાળો અને આઠ ભુજાવાળો છે, તેના જમણા ચાર હાથોમાં બીજાર, ગદા બાણ અને શક્તિ છે, ડાબા ચાર હાથોમાં નોળિયો, x કમળ, ધનુષ અને ફરસી છે.
તેમના તીર્થમાં 'નરદત્તા નામની દેવી છે, તે + ગૌર વર્ણવાળી, ભદ્રાસન ઉપર બેઠેલી અને ચાર ભુજાવાળી છે, તેના જમણા બે હાથમાં વરદાન અને માળા છે, ડાબા બે હાથમાં બીજોરૂ અને ફૂલ છે. २१-नमिजिनेश्वर, भृकुटियक्ष अने गांधारी देवीनुं स्वस्प -
___ तथैकविंशतितमं नमिजिनं कनकवर्णं नीलोत्पललाञ्छनमश्विनीजातं मेषराशिं चेति । तत्तीर्थोत्पन्नं भृकुटियक्ष चतुर्मुखं त्रिनेत्रं हेमवर्ण वृषभवाहनमष्टभुजं
मातुलिङ्गशक्तिमुद्गराभययुक्तदक्षिणमाणिं नकुलपरशुवज्राक्षसूत्रवामपाणिं चेति । नमेर्गान्धारा देवी श्वेतां हंसवाहनां चतुर्भुजां वरदखङ्गयुक्तदक्षिणभुजद्वयां बीजपूरककुम्भ : (कुन्त?) युतवामपाणिद्वयां चेति ॥२१।।
નમિજિન નામના એકવીસમા તીર્થંકર છે, તે સુવર્ણવર્ણવાળા અને નીલ કમળના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર અશ્વિની અને મેષ રાશિ છે.
તેમના તીર્થમાં 'ભૂકુટિં' નામનો યક્ષ છે, તે ચાર મુખવાળો, પ્રત્યેક મુખ્ય ત્રણ ત્રણ નેત્રવાળા, સુવર્ણવર્ણવાળો, બળદની સવારી કરનારો અને આઠ ભુજાવાળો છે. તેના જમણા ચાર હાથોમાં બીજોરૂ, શકિત, મુદ્રગર અને અભય છે, ડાબા ચાર હાથોમાં નોળિયો, ફરસી, વસ્ત્ર અને માળા છે.
તેમના તીર્થમાં ગાંધારી નામની દેવી છે, તે સફેદ વર્ણવાળી, હંસની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તેના જમણા હાથમાં વરદાન અને તલવાર છે, ડાબા બે હાથમાં બીજોરૂ અને = કુંભકલશ (ભાલા ?) છે.
*. પ્રસાવ માં કૃષ્ણવર્ણ લખે છે. x • ત્રિષષ્ટિમાં માળા લખી છે. + પ્ર. સા. અને આ દિવ માં સુવર્ણવર્ણવાળી લખી છે. = દેમ. . માં અને મંત્રાધિરાજલ્પમાં ઢાલ લખી છે. ત્રિષષ્ટિમાં બન્ને હાથમાં બીજોરૂ લખ્યું છે. આદિમાં ભાલા લખ્યું છે. પરંતુ ઢાલ રાખવી તે વધારે ઠીક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org