________________
૧૮
તથા સતાવિજયજી મહારાજ આદિને મેલાપ થયે. અહીં પણ સમેલન સમધી કેટલાક વિચારા થયા. અમદાવાદથી નગરશેઠ વિમળભાઇ મયાભાઈ તથા શેઠ. કસ્તુરભાઇ લાલભાઈ આદિ આગેવાન શેઠીઆએ આપશ્રીજીને ઉજમબાઈની ધર્મશાળામાં પધારવા વિનતિ કરવા આવ્યા. અત્રેથી વલાદ થઈ નરાડા પધાર્યાં. અહી` શેઠ સકરાભાઈ લલ્લુભાઈ તરફથી સ્વામીવાત્સલ્ય થયુ. આપ શ્રીજીના પ્રમુખસ્થાનમાં શ્રી વિદ્યાવિજયજી મહારાજનું જાહેર ભાષણ થયું. અહીથી વિહાર કરી ફાગણુ વિદ આજના દિવસે અમદાવાદમાં પ્રવેશ થયે. આ વખતે શ્રી કેસરીઆજી તીથ ના ઝગડા ચાલતા હૈાવાથી આપશ્રીજીની પ્રતિજ્ઞાનુસાર પ્રવેશ મહેાસવ સાદો જ થયા હતા. હારા નરનારીની મેદનીની સાથે આપશ્રીજીના તથા આચાય - વય શ્રીમદ્વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ તથા માચાય શ્રીમદ્ જયસૂરિજી મહારાજ તથા આચાર્ય મહારાજ શ્રી ઋદ્ધિસાગરસૂરિજી આદિના પ્રવેશ પણ આપશ્રીજીની સાથે જ થયા હતા. સવે પોતપેાતાના ઉપાશ્રયે પધાર્યાં અને આપશ્રીજી ઉજમમાઈની ધર્મશાળામાં પધાર્યાં. ત્રીજના દિવસે સંમેલનનું કામકાજ શરૂ થયું અને પાંત્રીશ દિવસ ચાલ્યું. અનેક વિજ્ઞાને સહન કરતાં કંઇક સફળતા મળી. આ સમેલનમાં પણ આપશ્રીજીની સલાહની ખાસ જરૂરત રહેતી અને તેની સફળતાનુ’ ખાસ માન પ આપશ્રીજીને જ ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org