________________
પહ
ધર્મશાળા બની તૈયાર થઈ ગઈ છે. અહીંથી બાલાપુર પધાર્યા. શ્રી સંઘના આગ્રહથી ચોમાસું અહીં નકકી થયું અને આપશ્રીજીના ઉપદેશથી પચાસ હજારના ખર્ચે એકઉપાશ્રય બને. ચોમાસાને હજુ સમય હોવાથી આપ આકોલા પધાર્યા અને શ્રી સંઘની વિનંતિને માન્ય કરી શ્રી દેરાસરજીની પ્રતિષ્ઠા કરાવી. જેઠ સુદિ આઠમના શ્રી આત્મારામજી મહારાજ સાહેબની જયંતિ ઉપર જાહેર વ્યાખ્યાન થયું, જેમાં સરકારી અમલદારે વિગેરેની સારી હાજરી હતી. ચોમાસા માટે બાલાપુર પધાર્યા. આકેલા શ્રી સંઘની વિનંતીથી મુનિશ્રી સમુદ્રવિજયજી, સાગરવિજયજી વિશુદ્ધવિજયજીને આકોલા ચોમાસા માટે આજ્ઞા આપી અહીં તપાગચ્છ અને લોકાગચ્છના શ્રાવકેમાં મતભેદ હતો તેને આપે દૂર કરા. આથી લોંકાગછના શ્રાવકો આપશ્રીજીના વ્યાખ્યાનમાં દરરોજ નિયમિત આવવા લાગ્યા. અહીં સારી ધમેં ઉન્નતિ થઈ. ચૌમાસું આનંદથી સમાપ્ત કરી વિહાર કર્યો. ખામગામ થઈ બરાનપુર પધાર્યા. અત્રેના સંઘમાં કુસંપ હતો તેને દૂર કરાવ્યું અને સંપ કરાવ્યું. તેમજ એક માતા-પુત્રના કલેશને પણ આપે મટાડ્યો. આગળ વિચરતાં માંડવગઢ પધાર્યા. અત્રે શ્રી શાંતિનાથ પ્રભુની યાત્રા કરી આનંદ થશે. શીપોર તેમજ પંજાબના શ્રાવકે આપના દર્શનાર્થે આવ્યા. ઈંદરથી શા. કનૈયાલાલજી રાંકા આદિ ૨૫-૩૦ આગેવાને ઈદોર માટે વિનંતિ કરવા આવ્યા. અત્રેથી ધાર પધાર્યા અત્રે આશપુરના શ્રાવકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org