________________
પણ કરાવી. આ પ્રાંતમાં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રથમ જ થયેલ હાવાથી ઘણું જ સારી ધામધૂમ થઈ. ' આ પ્રસંગે જેઠ સુદિ તીજના દિવસે ઝંડીયાલા(પંજાબ) નિવાસી લાલા ખજાનચીલાલજી લોઢા અને રાધનપુરનિવાસી શેઠ ભેગીલાલભાઈને સમારેહપૂર્વક દીક્ષા આપી, મુનિશ્રી વિશુદ્ધવિજયજી તથા વિકાસવિજયજી નામ થા૫ન કરી પિતાના શિષ્ય તરિકે જાહેર કર્યા. - અત્રેથી વિહાર કરી દીલ્હી શ્રી સંઘની વિનંતિથી દીલ્હી પધારતાં બડેત પધાર્યા. અત્રે આપશ્રીજીના સદુપદેશથી ૩૦-૪૦ ઘરવાળાઓ શ્વેતામ્બર જૈન બન્યા. એને ધર્મમાં સ્થિર કરવા માટે અને આ લોકોની અનહદ ભક્તિ અને આગ્રહભરી વિનંતિને માન્ય કરી બત(મેરઠ)માં ચોમાસું કયું અહીં ઉપાશ્રય ન હોવાથી જગ્યાની બહુ તંગી ભોગવવી પડી. આપશ્રીજીના ઉપદેશથી અહા ઝંડીયાલા ગુરૂ નિવાસી ચતુર્થ વ્રતધારી લાલા ટેકચંદજીના હાથે દેરાસરને પાયે નખાય અને આપની કૃપાદૃષ્ટિના પ્રભાવે શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી મદદ મળી અને મુંબઈથી પણ ૧૫૦૦૦૨૦૦૦૦ હજાર રૂપીઆની મદદ મળી દેરાસરજીનું કામ બાબૂ કીર્તિપ્રસાદજી અને બાબુશ્રીચંદજી સાહેબના અથાગ પરિશ્રમથી પૂરું થયું અને સં. ૧૯૯૫ ના મહા સુદ સાતમના આપશ્રીજીના કરકમલેથી ચાલીસ હજારની માનવમેદની વચ્ચે શ્રી દેવાધિદેવને તખતનશીન કર્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org