________________
વાસી ભાઈઓએ આપશ્રીજીને તેમના ઉપાશ્રયમાં ઉતારો આપ્યો. કેટલાંક વ્યાખ્યાને આદિથી જૈન જનેતરોને સારો બોધ કર્યો, જેના ફળસ્વરૂપ કેટલાક માંસાહારી લોકેએ માંસમદિરાને ત્યાગ કર્યો અને આપના ભકત બની ગયા. અત્રેથી વિહાર કરી માલેરકોટલા પધાયાં. નગરપ્રવેશની ધામધુમ સારી હતી. મહાવીર જયંતિ આપશ્રીજીની અધ્યક્ષતામાં ઉજવાઈ. અહીંના કેટલાક મુસલમાન ભાઈઓ આપશ્રીજીના ભક્ત થએલા છે. અત્રેથી વિહાર કરી લુધિઆના થઈ હશીઆરપુર પધાર્યા. ચોમાસું અત્રે થયું. આત્માનંદ જૈન લાયબ્રેરીની સ્થાપના થઈ. અહીં આપે એવી પ્રતિજ્ઞા કરી કે અમુક ધાર્યું કામ પૂર્ણ ન થાય ત્યાં. સુધી ગેળ, ખાંડ આદિની કઈ પણ વસ્તુ ન ખાવી એટલું જ નહી પણ ગેળખાંડને સદંતર ત્યાગ કર્યો હતો તેમજ પ્રથમની પ્રતિજ્ઞાઓ પણ હજુ ચાલુ જ હતી. વળી ચૌદસ પુનમને છઠ્ઠ કર અને બાર તિથી મૌન કરવું આવી ભીષણ પ્રતિજ્ઞા કરી અને વધારામાં પર્યુષણમાં છઠ્ઠ અઠ્ઠમ આદિ તપશ્ચર્યા પણ કરી.
અહીં મુંબાઈથી મહાવીર વિદ્યાલયની સહાયતાર્થે આપને વિનતિ કરતા ત્યાંના કાર્યવાહકોને એક પત્ર આપશ્રીજીના ઉપર આવ્યો. પત્ર વાંચી શ્રી પંન્યાસજી મહારાજ( હાલ આચાર્ય મહારાજ શ્રી લલિતવિજયજી)ને આપી કહ્યું કે “જે હિંમત હોય તે જ જવા માટે તૈયાર થાઓ.” તેઓએ પણ સહર્ષ અરજ કરી. “જૈસી ગુરૂદેવકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org