________________
ચળપટા સિવાયનાં બધાં કપડાં લઈને નાશી ગયા. આપશ્રીજીને બેહોશ પડેલ રજપુત ઉપર દયા આવી. બીજું કાંઈ સાધન ન હતું. આપે ત્રણમાંથી પાણી તેના માથા ઉપર નાખ્યું. આથી રજપુતને ચેતન આન્યું. આપ તેને સાથે લઈ માત્ર એકેક ચળપટાથી સર્વ સાધુમહારાજ વીજાપુર ગામમાં આવ્યા. લોકોએ ઉપસર્ગની હકીકત પૂછતાં સર્વ વાત વિદિત થઈ. હવાની માફક આ સમાચાર ભારતના કોણે કોણમાં ફેલાઈ ગયા. છેવટે ચેર પકડાયા અને ગયેલે સામાન કેટલેક મળી આવ્યું. આપે ચેરેને છેડાવ્યા અને ઉપદેશ આપી ચેરીના પાપકર્મથી છોડાવ્યા. તેઓ પણ ગુરૂમહારાજને ઉપકાર માનતા સ્વસ્થાને ગયા. અહીંથી વિહાર કરી સાદડી પધાર્યા. આપશ્રીજીએ અહીં સરસ્વતિ મંદિર યાની વિદ્યાલય સ્થાપિત કરવાને ઉપદેશ કર્યો. લેકેએ આપની વાતને માન્ય કરી. એક સાથે સવા લાખ રૂપીઆની ટીપ થઈ. ચોમાસું સાદડીમાં નક્કી થયું. ચૌમાસાને હજુ સમય હોવાથી આપે આજુબાજુના ગામમાં વિહાર કર્યો અને ઘાણેરાવ, નાડુલાઈ આદિ થઈ પીવાદી પધાર્યા. અહીંના પંચમાં પાંચ તડ હતા. આપે સમાધાન માટે ખુબ પરિશ્રમ કર્યો. લેકોએ આપશ્રીજીને લવાદ નીમ્યા. આપે પણ બુદ્ધિમતાથી કેટલાક કુરિવાજો બંધ કરી સૌને અનુકૂળ આવે તે
સલે આપે, જેને લોકોએ પણ મંજુર રાખે. અહીંથી બાલી પધાર્યા. અહીં પણ વિદ્યાલય માટે ઉપદેશ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org