________________
૨૧
પટ્ટ ઉપર સ્થાપિત કરવા ઘણા પ્રયત્ન કર્યો, પરંતુ આપે તે વાત મંજુર કરી નહીં. ત્યાંથી લાહેર પધાર્યા. અહીં શ્રાવકનાં (મૂર્તિપૂજકેનાં ) બે ત્રણ ઘર હતાં. આપે એક મહિને સ્થીરતા કરી લેકોના અજ્ઞાન અંધકારને દૂર કર્યો અને સમ્યકત્વરૂપ બીજ વાવ્યું. આજે તે કલ્પવૃક્ષ સદશ ફલીભૂત થયું છે. આજે અહીં અનેક મૂર્તિપૂજકેનાં ઘર નજરે આવે છે.
- વિહારના રસ્તામાં એક શીખ પહેલવાનને ૨૭ મણની ગદા ફેરવતે જઈ તેની પ્રશંસા કરી અને હિંસા ન કરવાને ઉપદેશ કર્યો. અહીંથી હુશી આરપુર પધાર્યા અને શ્રી ગુરૂદેવની મૂર્તિની સ્થાપના કરાવી. આ વખતે પણ લોકેએ આપને આચાર્યપદવી આપવા માટે અથાગ પરિશ્રમ કર્યો પણ એમને સફળતા મળી નહીં. છેવટે સં. ૧૭ માં ગુજરાતની રાજધાની પાટણ શહેરમાં શ્રી કમલવિજયજી મહારાજ સાહેબને શ્રી ગુરૂદેવના સ્થાન પર સ્થાપિત કર્યા.
શ્રી ગુરૂદેવે સ્વમુખે ફરમાવેલું કે “ વરલભ મારી ગાદી સંભાળશે” પરંતુ આપ દીક્ષા પર્યાયમાં, અને ઉમ્મરમાં પાછળ હોવાથી આપે આચાર્ય પદવી ન લેતાં શ્રી કમલવિજયજી મહારાજ સાહેબને આગ્રહ કરી તે સ્થાન અપાયું. આ એક નિરભિમાનને અમૂલ્ય દાખલો છે. ચોમાસું અહીં જ થયું અને શ્રી આત્માનંદ જૈન પાઠશાળાને પગભર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org